મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં સ્કાય મોલ પાસે મારામારી કરનારા લૂખ્ખા તત્વોને ધારાસભ્ય કાયદાનું ભાન કરાવશે ? : રમેશભાઈ રબારી


SHARE











મોરબીમાં સ્કાય મોલ પાસે મારામારી કરનારા લૂખ્ખા તત્વોને ધારાસભ્ય કાયદાનું ભાન કરાવશે ? : રમેશભાઈ રબારી

મોરબી માળિયાના ધારાસભ્ય વારંવાર વિડિયો જાહેર કરી લૂખા તત્વને કાયદાનુ ભાન કરવી દેવાની વાતો કરે છે ત્યારે ગઇકાલે સાંજે મોરબીના શનાળા રોડે આવેલ સ્કાય મોલ પાસે માર મારિનો બનાવ બનેલ હતો જે ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થયેલ છે અને તેનો વિડીયો પણ સોશ્યલ મીડિયામાં વાયરલ કરવામાં આવેલ છે ત્યારે જાહેરમાં મારા મારી કરનારા લૂખાતત્વને કાયદાનુ  ભાન કરાવવામાં આવે તેવી કોંગ્રેસનાં આગેવાને માંગ કરી છે.

મોરબીના શનાળા રોડે આવેલ હાઉસિંગ બોર્ડમાં રહેતા કોંગ્રેસના આગેવાન રમેશભાઈ રબારીએ હાલમાં સોશ્યલ મીડિયામાં એક મેસેજ વાઇરલ કરેલ છે જેમાં લખ્યું છે કે, મોરબી શહેરમાં જાણે કે પોલીસ તંત્રનુ કોય અસ્તિત્વ ના હોય તેવી રીતે લૂખા તત્વનો આંતક  સતત વઘતો જાય છે અને પોલીસ મોન થઈ આ બઘું  જોયા રહી છે આવ આવારા અને લૂખાતત્વને કાબુમાં રાખવા પોલીસ ખુદ ફરિયાદી બને કાયદાનુ ભાન કરાવે તેઅનિવાર્ય છે તેમાં વધુમાં લખ્યું છે કે, મોરબીના શનાળા રોડે આવેલ સ્કાય મોલ પાસે  જાહેરમાં એક નિર્દોષ  પાટીદાર વેપારીને અમુક લૂખા તત્વ મારમારી રહ્યા છે અને તેનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ છે ત્યારે આ બાબતે લોકો ચર્ચા કરતાં હતાં કે ,માર મારી રહેલ મોરબીની એક જાણીતા ગ્રૂપ અને ભાજપ સાથે સંકળાયેલ છે ત્યારે પ્રજા પૂછવા માંગે છે મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા વારંવાર આહવાન કરતા વિડિયો વાયરલ કરી રહ્યા છે જેમાં કહેતા હોય છે કે, “મોરબીમાં કોઇ લૂખાની દાદાગીરી હવે નહિ ચાલે અને લૂખાઓને નુ ભાન કરવાં માટે પોલીસને જણાવી દીધું છે” તો મોરબીના શનાળા રોડે જે મારા મારિનો વિડીયો સામે આવેલ છે તેમાં પાટીદાર સમાજના યુવાનને માર મારતાં લૂખા તત્વની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે કે સમાધાન કરાવી દેવામાં આવશે ? તેવો સવાલ ઉઠાવીને રહેતા કોંગ્રેસના આગેવાન રમેશભાઈ રબારીએ અગાઉની જેમ જ ધારાસભ્ય દ્વારા પ્રજા જોગ વિડિયો જાહેર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.






Latest News