મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

ટંકારાના ઘુનડા (સ) ગામે બહેનના ઘરે ગયેલ યુવતીનું ઝાડા ઉલ્ટી બાદ મોત: વીસેરા લેવાયા


SHARE











ટંકારાના ઘુનડા (સ) ગામે બહેનના ઘરે ગયેલ યુવતીનું ઝાડા ઉલ્ટી બાદ મોત: વીસેરા લેવાયા

ટંકારા તાલુકાના ઘુનડા (સ) ગામે બહેનના ઘરે ગયેલ યુવતીને ઝાડા ઉલટી થઈ ગયા હતા જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં ડોક્ટરે જોઈ તપાસીને તેને મૃત જાહેર કરી હતી અને મૃતક યુવતીના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે હાલમાં વિસેરા લઈને ડોક્ટર દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને આ બનાવ અંગેની ટંકારા તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

મોરબીના વિસ્તારમાં આવેલ રણછોડનગરમાં રહેતા પ્રેમજીભાઈ વશરામભાઈ વિજવાડીયા જાતે કોળીની ૧૭ વર્ષની દીકરી કાજલબેન તેના મોટા બહેન ઘુનડા (સ) ગામે રહેતા હોય ત્યાં ગઈ હતી અને દરમિયાન તેને ત્યાં કોઈ કારણોસર ઝાડા ઉલટી થઈ ગયા હતા જેથી તેને તાત્કાલિક હોસ્પિટલને લઈને આવ્યા હતા અને ત્યાં સ્થળ ઉપર ડોક્ટરે યુવતીને જોઈ તપાસીને યુવતીને મૃત જાહેર કરી હતી જોકે યુવતીના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે વિસેરા લેવામાં આવ્યા છે અને આગળની તપાસ કરવામાં આવી રહી છે અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવની આગળની વધુ તપાસ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના એસ.બી. સીદીકી ચલાવી રહ્યા છે

વૃદ્ધાનું મોત
મોરબીના સામાકાંઠે સોઓરડી મેઇન રોડે આવેલ પોસ્ટ ઓફિસની સામેના ભાગે રૂદ્રાક્ષ એપાર્ટમેન્ટમાં રહેતા શર્મિલાબેન જમનાદાસ મોરી જાતે પટેલ નામના ૫૮ વર્ષીય વૃદ્ધાને બીમારી સબબ બેભાન હાલતમાં દવાખાને લઈ જવામાં આવ્યા હતા.જયાં તેઓને મૃત જાહેર કરાયા હતા અને બનાવ સંદર્ભે સીટી બી ડિવિઝન પોલીસમાં જાણ કરાતા બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર દ્વારા નોંધ કરીને આ અંગે વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.

મારામારીમા ઈજા
મોરબીના વીસીપરામાં આવેલ કુલીનગર શેરી નંબર-૨ માં રહેતા કાસમભાઇ યાકુબભાઈ કચ્છી નામના ૪૨ વર્ષના યુવાનને રેલ્વે પાટા પાસે મારામારીના બનાવમાં ઇજા થતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા બનાવની જાણ થતા સીટી બી ડિવિઝન પોલીસ મથકના હિતેશભાઈ મકવાણા દ્વારા આ અંગે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.






Latest News