મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ
Breaking news
Morbi Today

ટંકારા આર્ય વિચારને વરેલા મેહુલ કોરીંગાની યાદમાં સ્મૃતિવન બનાવવામાં આવ્યું


SHARE





ટંકારા આર્ય વિચારને વરેલા મેહુલ કોરીંગાની યાદમાં સ્મૃતિવન બનાવવામાં આવ્યું

ટંકારા તાલુકાના ભુતકોટડા ગામે ગઢવાળી મેલડી માતાના નજીક નદી કિનારે કુદરતી સૌંદર્ય વચ્ચે સોનામાં સુગંધ ભળે એમ ખેતરની જગ્યાએ ટંકારાના નાંમકિત આર્ય સમાજના પ્રખર વિદ્વાન અને સમર્થ કાર્યકર સ્મૃતિ શેષ મેહુલ કોરીંગાની યાદ કાયમ રહે તેવા ઉદ્દેશ્યથી વનીકરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ વેળાએ ભૂતકોટડાના યુવા સરપંચ પંકજભાઈ, શૈલેષભાઈ,ચીમનભાઈ, વસંતભાઈ સહિતના ગામના યુવાનો તથા વડીલોના સાથ સહકાર અને શ્રમ થકી આ કાર્ય સફળ બનશે. આર્ય વિદ્યાલયના પ્રમુખ માવજીભાઈ દલસાણીયા દ્વારા આર્થિક યોગદાન આપી મેહુલ સ્મૃતિવન બનાવવામાં આવેલ છે. અને મેહુલભાઈની સ્મૃતિ કાયમ રહે એટલે મીઠાભાઈ તથા તેમના પરિવાર દ્રારા આ જગ્યા પણ આપવામાં આવી છે. આ વન થકી નદી કિનારે પ્રકુતીનો  શણગાર આગામી દિવસોમાં શોભાયમાન બનશે અને વરસાદી પાણી થી થતું નદી કિનારાનુ ધોવાણ અટકશે તેવી લાગણી વ્યકત કરી છે




Latest News