મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના તખતસિંહજી રોડ ઉપર વેપારીઓની દુકાનમાં વરસાદી પાણી ભરાયા !: પાલિકા તંત્ર વામણું ?


SHARE











મોરબીના તખતસિંહજી રોડ ઉપર વેપારીઓની દુકાનમાં વરસાદી પાણી ભરાયા !: પાલિકા તંત્ર વામણું ?

મોરબી શહેરના કેટલાક વિસ્તારોની અંદર વરસાદના ચાર છાંટા પડતાની સાથે જ લોકોને રસ્તા ઉપરથી અવરજવર કરવું માથાના દુખાવા સમાન બની જાય છે અને વેપારીઓની દુકાનમાં પાણી ઘૂસી જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે અને આ વર્ષો જૂનો પ્રશ્ન હોવા છતાં પણ નગરપાલિકામાં ભાજપ, કોંગ્રેસ કે વિકાસ સમિતિ દરેકનું શાસન આવી ગયું છે તો પણ પ્રશ્ન આજની તારીખે પણ યથાવત છે આજની તારીખે મોરબીના ચોક્કસ વિસ્તારોની અંદર વરસાદી પાણી ભરાવાની સમસ્યાનો કોઈ નિકાલ જવાબદાર અધિકારી, પદાધિકારી કે ઇજનેરો કાઢી શક્યા નથી તે નારી વાસ્તવિકતા છે સરકાર દ્વારા લાખો કરોડો રૂપિયા પગારમાં અધિકારી અને કર્મચારીઓને આપવામાં આવે છે તેમજ જુદી જુદી ગ્રાન્ટના સ્વરૂપે કરોડો રૂપિયા આપવામાં આવે છે જો કે, લોકોની સુખાકારીમાં લેસ માત્ર વધારો થતો હોય તેવું દેખાતું નથી !. જો વાત કરીએ મોરબીના તખતસિંહજી રોડની તો મોરબીના આ રોડ ઉપર જ્યાં વેપારીઓની દુકાન આવેલ છે ત્યાં આજકાલનું નહીં પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી મુખ્ય માર્ગ ઉપર વરસાદી પાણી ભરાઈ જાય અને બે ઇંચ કે તેથી વધુ વરસાદ પડે એટલે વેપારીઓની દુકાનમાં પાણી ઘૂસી જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે તેમ છતાં પણ પાલિકાના જવાબદાર અધિકારી, પદાધિકારી કે કર્મચારીઓ આ વરસાદી પાણીનો કાયમી નિકાલ કરી શક્યા નથી ? મોરબીમાં શનિવારે રાત્રિ દરમિયાન વરસેલા વરસાદના કારણે હાલમાં તખતસિંહજી રોડ ઉપર વેપારીઓની દુકાનમાં પાણી ઘૂસી જાય તે રીતે પાણી ભરાઈ ગયા છે અને વાહન ચાલતા લોકોને વાહન લઇને નીકળવું પણ માથાના દુખાવો સમાન બની ગયું છે ત્યારે સૌથી મોટો સવાલ એવો થાય છે કે નગરપાલિકાના અધિકારી પદાધિકારી કેમ વર્ષો જૂના પ્રશ્ન ઉકેલવામાં વામણા પુરવાર થઈ રહ્યા છે






Latest News