મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના ઉટબેટ સામપર ગામે ભેંસે ખેતરમાં નુકશાન કરતાં યુવાનને જાહેરમાં હડધૂત કરી લાફા ઝીકયા


SHARE











મોરબીના ઉટબેટ સામપર ગામે ભેંસે ખેતરમાં નુકશાન કરતાં યુવાનને જાહેરમાં હડધૂત કરી લાફા ઝીકયા

મોરબી તાલુકાના ઉટબેટ સામપર ગામે રહેતા યુવાનની ભેંસ ગામના પાદરમાં આવેલ ખેતરમાં ઘૂસી ગઈ હતી જેથી કરીને નુકસાની કરેલ છે તે બાબતનો ખાર રાખીને તેની સાથે બોલાચાલી કરીને ઝઘડો કર્યો હતો અને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરીને મૂઢમાર મારીને ઝાપટો મારવામાં આવી હતી જેથી કરીને યુવાન દ્વારા હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે એટ્રોસિટી સાહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ઉટબેટ સામપર ગામે રહેતા કાંતિભાઈ મલાભાઇ ચાવડા (૪૬)એ હાલમાં નટવરભાઈ ધરમશીભાઈ પરમારની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે તેની ભેસ ગઈકાલે નટવરભાઈ ધરમશીભાઈ પરમારના ગામના પાદરમાં આવેલ ખેતરમાં ગઈ હતી અને ત્યાં નુકસાન કરેલ છે તે બાબતનો ખાર રાખીને આરોપીએ ગ્રામ પંચાયત કચેરી પાસે ફરિયાદી યુવાનને જાહેરમાં બોલાચાલી કરીને ઝઘડો કરી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરીને ગાળો આપી હતી અને મૂઢમાર માર્યો હતો તેમજ ગાલ ઉપર લાફા માર્યા હતા જેથી ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે 

યુવાનનું મોત

મોરબી નજીકના રંગપર ગામ પાસે આવેલ આઈ ટાઇલ્સ કારખાનામાં રહેતા સચિન સનારામભાઈ ગોપ (૧૮) નામના મૂળ ઝારખંડના રહેવાસી યુવાનને બીમારી સબબ ખાનગી હોસ્પિટલમાં લઈને આવતા ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News