મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

મોરબીના વાલ્મીકિવાસમાં યુવાનને તલવાર-પાઇપ વડે માર મારનાર ત્રણ શખ્સોની સામે ગુનો નોંધાયો


SHARE











મોરબીના વાલ્મીકિવાસમાં યુવાનને તલવાર-પાઇપ વડે માર મારનાર ત્રણ શખ્સોની સામે ગુનો નોંધાયો

મોરબીમાં સબજેલ સામે આવેલ વાલ્મીકિવાસ વિસ્તારમાં રામદેવપીરના મંદિર પાસે બાઈક ચલાવવા બાબતે સમજાવવા ગયેલા વ્યક્તિને માર મારતા હતા જેથી તેને છુટા પાડવા માટે વચ્ચે પડેલા યુવાનને તલવાર અને પાઇપ વડે માર મારવામાં આવ્યો હતો જેથી ઇજા પામેલા યુવાને પ્રથમ મોરબી સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા અને ત્યાં સારવાર લીધા બાદ યુવાને ત્રણ શખ્સોની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં સબજેલ સામેના ભાગમાં આવેલ વાલ્મીકિવાસ વિસ્તારમાં રહેતા અજયભાઈ ગોવિંદભાઈ પરમાર (૩૦) નામના યુવાને અતુલભાઇ ગેલાભાઈ ઝાલા, આદર્શભાઈ અતુલભાઇ ઝાલા અને પપ્પુભાઈ અતુલભાઇ ઝાલા રહે. બધા વાલ્મીકિવાસ મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, હસમુખભાઈ પોતાનું બાઈક લઈને કામ ઉપર જતા હતા ત્યારે આદર્શ અતુલભાઇ ઝાલાને બાઈક ચલાવવા બાબતે સમજાવતા હતા તે બાબતનો ખાર રાખીને અતુલભાઇ, આદર્શભાઈ અને પપ્પુભાઈએ હસમુખભાઈને ગાળો આપી હતી અને ઝપાઝપી કરીને માર મારતા હતા જેથી ફરિયાદી અજયભાઈ તેઓને છૂટા પડાવવા માટે થઈને વચ્ચે પડ્યા હતા ત્યારે અતુલભાઇ ઝાલાએ તેને તલવાર વડે હાથમાં માર માર્યો હતો અને આદર્શભાઈએ લોખંડના પાઇપ વડે માથામાં માર મારીને ઈજા કરી હતી અને ત્યાર બાદ તે ત્રણેય નાશી ગયા હતા અને ઇજા પામેલા અજયભાઈ પરમારને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં સારવાર લીધા બાદ હાલમાં તેણે અતુલભાઇ, આદર્શભાઈ અને પપ્પુભાઈની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News