મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં જેલ સામેના વિસ્તારમાં યુવાન ઉપર તલવાર-પાઇપ વડે છથી વધુ શખ્સોએ કર્યો હુમલો


SHARE







મોરબીમાં જેલ સામેના વિસ્તારમાં યુવાન ઉપર તલવાર-પાઇપ વડે છથી વધુ શખ્સોએ કર્યો હુમલો

મોરબીમાં સબજેલની સામેના ભાગમાં આવેલ વિસ્તારમાં રહેતા યુવાનને તેના ઘર પાસે બપોરના સમયે છ થી વધુ શખ્સો દ્વારા તલવાર અને પાઇપ વડે માર માર્યો હતો જેથી કરીને ઈજા પામેલ યુવાનને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે અને આ બનાવની રાજકોટ હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં સબ જેલની સામેના ભાગમાં આવેલ વિસ્તારમાં રહેતા અજય ગોવિંદભાઈ પરમાર જાતે વાલ્મિકી (૩૦) નામના યુવાનને માર મારવામાં આવ્યો હતો જેથી કરીને ઇજાગ્રસ્ત હાલતમાં તેને પ્રાથમિક સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યો છે અને હાલમાં રાજકોટ ખાતેથી જાણવા મળતી માહિતી પ્રમાણે અજય પરમાર રામદેવપીરના મંદિર પાસે તેના ઘર નજીક બપોરના સાડા ત્રણ વાગ્યાના સમયે હતો ત્યારે અતુલ, આદેશ, પપ્પુ, સુમો, વિપુલ અને અજાણ્યા શખ્સોએ મળીને તેના ઉપર તલવાર અને પાઇપ વડે હુમલો કર્યો હતો અને તેને માર મારવામાં આવ્યો હતો જેથી ઈજા પામેલ હાલતમાં તે યુવાનને સારવાર માટે હાલમાં રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે રાખવામાં આવી છે અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને ફરિયાદ લેવા માટેની કવાયત ચાલી રહી હોવાનું જાણવા મળેલ છે

અકસ્માતમાં ઇજા

મોરબી નજીકના નાનીવાવડી ગામે રહેતા રમણીકભાઈ હીરાભાઈ ઉભડિયા (૨૩) નામનો યુવાન મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ સોખડા-બહાદુરગઢ ગામના પાટીયા પાસે સુનિલ એન્ટરપ્રાઇઝ નામના કારખાનામાં કામગીરી કરી રહ્યો હતો ત્યારે ઊંચાઈ ઉપરથી નીચે પટકાતા શરીરને ઇજા થઇ હોવાથી રમણીકભાઈને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવવા અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News