મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

હદ કરી નાખી !: મોરબીના મહેન્દ્રનગર ગામે વેરા રજિસ્ટરમાં નામ ચડાવવામાં ભ્રષ્ટાચાર ?


SHARE







હદ કરી નાખી !: મોરબીના મહેન્દ્રનગર ગામે વેરા રજિસ્ટરમાં નામ ચડાવવામાં ભ્રષ્ટાચાર ?

મોરબી તાલુકાના મહેન્દ્રનગર ગામની આસપાસના વિસ્તારમાં નવી ઘણી સોસાયટી બનેલ છે ત્યારે નવી મિલકતોના વેરા રજિસ્ટરમાં નામ ચડાવવાનું જે કામ કરવામાં આવી રહ્યું છે તેમાં ભ્રષ્ટાચાર કરવામાં આવે છે તેવી રજૂઆત ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાને મળી હતી જેથી કરીને ધારાસભ્ય દ્વારા ડીડીઓને પત્ર લખીને યોગ્ય તપાસ કરવા માટેની માંગ કરી છે
મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે ચૂંટાયેલ બોડી હાલમાં નથી જેથી વહીવટદાર શાસન ચાલી રહ્યું છે. ત્યારે ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રી દ્વારા ચાલતા ભ્રષ્ટાચારની રજૂઆત જુદીજુદી સોસાયટીના લોકો દ્વારા ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાને કરવામાં આવી હતી જેમાં જણાવ્યું હતું કે, નવી સોસાયટીની મિલક્તોને વેરા રજિસ્ટરમાં નામ ચડાવવાની ફી ૨૧૦૦ રૂપિયા છે ને પહોંચ પણ ૨૧૦૦ ની જ આપવામાં આવે છે જો કે, રૂપિયા ૨૫૦૦ આપવા પડે છે આમ એક મિલકતે ૪૦૦ રૂપિયા વધુ લઈને ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે જેથી કરીને પંચાયતના તલાટી કમ મંત્રી સામે કાર્યવાહી કરવામાં આવે તેવી ગ્રામજનોએ રજૂઆત કરેલ છે તેના આધારે ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ મોરબીના ડીડીઓને લેખિત પત્ર લખીને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરેલ છે






Latest News