મોરબીના વઘાસીયા ટોલનાકા પાસે બાઈક ચાલકને અજાણ્યા કાર ચાલકે હડફેટ લેતા માથામાં ઇજા મોરબી : વાંકાનેરના દિધલીયા ગામે ભત્રીજા સાથે ઝઘડો કરતાં ઈસમને સમજાવવા જતાં છરી વડે હુમલો મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી ગુજરાત બાર કાઉન્સીલમાં સતત ચોથી વાર ચૂંટાયેલા દિલીપભાઇ પટેલનું મોરબીમાં વાજતે ગાજતે સ્વાગત કરાયું મોરબી સહિત ગુજરાતમાં વાવાઝોડું-કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે વળતર આપવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત મોરબીમાં મહાપાલિકા દ્વારા નવા બનનારા ઓડિટોરીયમને મહારાજા મહેન્દ્રસિંહજી ઓડિટોરીયમ નામ આપવાની માંગ
Breaking news
Morbi Today

ટંકારાના સજનપરમાં વ્યાજખોરોએ પતિને મારી નાખવાની ધમકી આપતા પરિણીતાએ ન કરવાનું કર્યું 


SHARE











ટંકારાના સજનપરમાં વ્યાજખોરોએ પતિને મારી નાખવાની ધમકી આપતા પરિણીતાએ ન કરવાનું કર્યું 

ટંકારા તાલુકાના સજનપર ગામે રહેતા યુવાને ગામના જ બે શખ્સો પાસેથી ૨.૪૦ લાખ વ્યાજે લીધેલા હતા જે રૂપિયાની પઠાણી ઉઘરાણી વ્યાજખોરો દ્વારા કરવામાં આવતી હતી અને તેના ઘરે આવીને ગાળો આપીને યુવાનને મારી નાખવાની ધમકી આપતા હતા જેથી કરીને યુવાનની પત્નીએ ફિનાઈલ પી લેતા તેને સારવારમાં લઈ આવ્યા હતા અને ત્યારબાદ તેણે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી પ્રમાણે ટંકારા તાલુકાના સજનપર ગામે રહેતા ઉષાબેન દિલીપભાઈ જાદવ (૩૫)એ હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ઘનશ્યામસિંહ વિજુભા જાડેજા અને દિલીપભાઈ ઉર્ફે ભયલુભાઈ જાડેજા રહે. બંને સજનપર ગામ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે, ફરિયાદીના પતિ દિલીપભાઈ અમરશીભાઈ જાદવને પૈસાની જરૂર હતી ત્યારે ઘનશ્યામસિંહ પાસેથી બે લાખ રૂપિયા અને દિલીપભાઈ પાસેથી ૪૦ હજાર આમ કુલ મળીને ૨.૪૦ લાખ ૧૦ ટકાના વ્યાજે લીધા હતા જે રૂપિયાની પઠાણી ઉઘરાણી બંને શખ્સો દ્વારા કરવામાં આવતી હતી અને તેના ઘરે આવીને ફરિયાદી અનુસૂચિત જાતિના હોવાનું જાણતા હોવા છતાં તેઓને ગાળો આપીને રૂપિયાની પઠાણી ઉઘરાણી કરતા હતા અને ફરિયાદીના પતિ દિલીપભાઈને મારી નાખવાની ધમકી આપતા હતા જેથી કરીને ફરિયાદી મહિલાને લાગી આવતા તેણે પોતાની જાતે પોતાના ઘરે ફિનાઇલ પી લેતા તેને સારવારમાં લઈ ગયા હતા અને ત્યારબાદ તેણે હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જે ફરિયાદ નોંધાવી છે તેના આધારે પોલીસે એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ કેસની તપાસ એસટી એસસી સેલના ડીવાયએસપી પી.એ. ઝાલા ચલાવી રહ્યા છે




Latest News