મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

હમણાં કયાં ચુંટણી છે, આવશે ત્યારે હાથ જોડી લેશુ : મોરબીમાં વાવાઝોડા સમયે તૂટી પડેલું વૃક્ષ ઉપાડવાનો કોઈને ટાઈમ નથી..!


SHARE











હમણાં કયાં ચુંટણી છે, આવશે ત્યારે હાથ જોડી લેશુ : મોરબીમાં વાવાઝોડા સમયે તૂટી પડેલું વૃક્ષ ઉપાડવાનો કોઈને ટાઈમ નથી..!

થોડા સમય પહેલા મોરબીમાં વાવાઝોડાના પગલે અનેક જગ્યાએ વૃક્ષ ધરાશાય થયા હતા તે રીતે મોરબીના રવાપર રોડ ઉપર પણ એક વૃક્ષ પડી ગયુ હતુ જે આજની તારીખે ઉપાડવામાં આવ્યુ નથી..! માટે લોકોમાં આ બાબતમાં રોષ જોવા મળી રહ્યો છે કે પાલિકા કઈ હદે નિંભરતા દાખવી રહી છે અને તેનો આ નાદાર નમૂનો મોરબીના મુખ્ય માર્ગ સમા રવાપર રોડ ઉપર પણ જોવા મળી રહ્યો છે જો શહેરના મુખ્ય માર્ગો ઉપર આ હાલત હોય તો છેવાડાના વિસ્તારોની શું હાલત હશે તે વાચકોએ સ્વયં સમજી લેવું.

રબીવાસીઓએ મોરબી પાલિકાની જ તમામ સીટો નહીં પરંતુ જિલ્લા-તાલુકા પંચાયતમાં પણ ભારે મોટી બહુમતી ભાજપને આપી હતી છતાં પણ આજે શું સ્થિતિ છે તે મોરબીવાસીઓ સારી રીતે જાણે છે.જો કોઇ વિસ્તારના લોકો પોતાના વિસ્તારની સમસ્યાઓની વાત કરવા માટે જાય તો ચૂંટાયેલા સભ્યો કહે છે કે હવે અમે ક્યાં સત્તામાં છીએ પરંતુ જો ઉપરથી કોઈ મવડી મંડળનો કાર્યક્રમ આવે તો તાબડતોબ કલેકટર સહિતનાઓને કામે લગાડીને કામ કરાવવામાં આવે છે પરંતુ છેવાડાના નાગરિકોની કોઈ દરકાર લેવામાં આવતી નથી અને આજે વરસાદના સમયે છેવાળાના વિસ્તારમાં શું હાલત છે તે ચૂંટણી માટે જે લોકો મત માંગવા માટે પહોંચતા હતા તે લોકોએ છેવાડાના વિસ્તારની મુલાકાત લઇને તે વિસ્તારની દરકાર લેવી જોઈએ.જો વાત કરીએ તો

બિપોરજોય વાવાજોડામાં બાપા સીતારામ ચોકથી નિલકંઠ વિદ્યાલય બાજુ રવાપર રોડ ઉપર એક ઝાડ (વૃક્ષ) પડીગયુ હતુ તે ઝાડ આજના દિવસ સુધી ઉપાડવામાં આવેલ નથી..! શું પાલીકાના કોઈ અધિકારી કે સરકારી સંસ્થા કે આ વિસ્તારના ચુંટાયેલ આગેવાનો (જે ચુંટણી ટાંણે લોકોને હથેડીમાં ચાંદ બતાવતા હતા તે.) કે અન્ય કોઇ એજન્સીની જવાબદારી મોરબીને સ્વચ્છ રાખવાની નથી..? જો હોય તો તેઓ પોતાની આળસ ઉડાળીને આવા રોજિંદા કામોમાં કામે લાગે તે જરૂરી બન્યું છે.






Latest News