હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો મોરબીમાં ટાઇલ્સનો ધંધાર્થી યુવાન 1 લાખ રૂપિયા વ્યાજે રૂપિયા લઈને વ્યાજખોરના ચૂંગાલમાં ફસાયો: જાનથી મારી નાખવાની ધમકી હળવદના ચંદ્રગઢ ગામે ખેતરમાં ઈરાદપૂર્વક તોડી નાખેલા વીજપોલને રીપેર કરવા ગયેલા વીજ કંપનીના કર્મચારીને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી વાંકાનેરમાં છોકરાની સાયકલ લેવા બાબતે મહિલાને ગાળો આપીને માર માર્યો: 5 મહિલ સહિત કુલ 6 સામે ફરિયાદ ટંકારાના હડમતીયા ગામ નજીક આવેલ કારખાનાના લેબર કવાર્ટરમાં નિંદ્રાધીન અવસ્થામાં યુવાનનું મોત મોરબીમાં દારૂની રેડ કરવા ગયેલ પોલીસને રોકડ મહિલાએ કર્યો આત્મ હત્યાનો પ્રયાસ !: ફરજમાં રૂકાવટ સહિતની કલમ હેઠળ બે મહિલા સહિત 8 સામે ગુનો નોંધાયો જેને જે કરવુ હોય તે કરે, હું 1997 માં રાજ્યના મુખ્યમંત્રીને અડી ગયો હતો, મારી ટીમ અને વેપારીઓ મારી સાથે જ છે: મોરબીમાં રાજ્ય મંત્રી કાંતિભાઇ અમૃતિયાનો સીધો પ્રહાર મોરબી જિલ્લાના હોટલ માલિકોએ પથિક સોફટવેરમાં રજીસ્ટ્રેશન કરાવવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
Breaking news
Morbi Today

મોરબીમાં પરિણીતાને પતિએ માર માર્યો: ત્રણ વ્યક્તિ સામે ફરિયાદ


SHARE











મોરબીમાં પરિણીતાને પતિએ માર માર્યો: ત્રણ વ્યક્તિ સામે ફરિયાદ


મોરબી નજીકના પાનેલી ગામે રહેતી પરણીતાને તેના પતિ દ્વારા માર મારવામાં આવ્યો હતો જેથી કરીને હાલમાં ભોગ બનેલ પરણીતા દ્વારા તેના પતિ સહિત કુલ ત્રણ વ્યક્તિઓની સામે મોરબી જિલ્લા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ પાનેલી ગામે રહેતા હીરાભાઈ માવજીભાઈ કંઝારીયાની દીકરી વૈશાલીબેનના લગ્ન પાનેલી ગામે રહેતા રાજેશભાઈ નારણભાઈ ડાભી સાથે થયા હતા અને વૈશાલીબેનને ઘરકામ બાબતે મેણાં ટોણાં મારીને અંબાબેન મોહનભાઈ ડાભી દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવતો હતો અને તેના પતિ રાજેશભાઈ નારણભાઈ ડાભીએ ચારથી પાંચ લાફા મારીને ગાળો આપી હતી તેમજ ગુલાબબેન નારણભાઈ ડાભીએ તેને પીઠના ભાગે ઢીકા વડે માર મારીને ઇજા કરી હતી જેથી ભોગ બનેલ પરણીતા દ્વારા હાલમાં તેના પતિ સહિત ત્રણ વ્યક્તિઓની સામે મોરબી જિલ્લા મહિલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની વધુ તપાસ મોરબી મહિલા પોલીસ સ્ટેશનના પીઆઇ પી.એચ. લખધિરકા ચલાવી રહ્યા છે.

ઝેરી અસર
મોરબી નજીકના ગાંધીનગર ગામ પાસે આવેલ રામેશ્વરનગરમાં રહેતા પ્રતિકભાઇ મનસુખભાઈ મનીપરા (૧૮) નામનો યુવાન પોતાના ઘરે રાત્રિના સૂતો હતો ત્યારે વહેલી સવારે ચાર વાગ્યાના અરસામાં તેને જમણા પગમાં કોઈ જીવજંતુ કરડી જતાં તેને ઝેરી અસર થઈ હતી જેથી કરીને તે યુવાને તાત્કાલિક સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી છે.
અકસ્માતમાં ઇજા
મોરબી નજીકના નવલખી રોડ ઉપર આવેલ ગોર ખીજડીયા ગામના ગેટ પાસેથી બાઈકમાં પાછળના ભાગે બેસીને માળીયા મિયાણા તાલુકાના દેરળા ગામે રહેતા નારણભાઈ અમરશીભાઈ આદ્રોજા (૪૫) પસાર થઈ રહ્યા હતા ત્યારે ગામના ગેટ પાસે બાઈક આડે કૂતરું ઉતર્યું હતું જેથી કરીને બાઇક સ્લીપ થઈ જતા પાછળના ભાગે બેઠેલ નારણભાઈને ઇજાઓ થઈ હતી જેથી કરીને ઈજા પામેલા યુવાનને સનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવારમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવવી નોંધ કરી આગળ કાર્યવાહી હાથ તરીકે અને આ બનાવની આગળ વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના મનીષભાઈ બારૈયા ચલાવી રહ્યા છે.






Latest News