ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત મોરબીની રાજપર ચોકડી પાસે અગાઉ ભત્રીજીને ભગાડી ગયેલ શખ્સ અને તેના પિતાએ યુવાનને માર માર્યો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં વિવિધ સ્થળોએ તાલુકા અને નગરપાલિકા કક્ષાએ યોગ દિવસની ઉજવણી થશે


SHARE







 

મોરબી જિલ્લામાં વિવિધ સ્થળોએ તાલુકા અને નગરપાલિકા કક્ષાએ યોગ દિવસની ઉજવણી થશે

ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તથા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા વહીવટી તંત્ર મોરબી દ્વારા સંચાલિત વિશ્વ યોગ દિવસની તાલુકા તથા નગરપાલિકા કક્ષાએ વિવિધ સ્થળોએ ૨૧ મી જૂનના રોજ ઉજવણી કરવામાં આવનાર છે.

વસુધૈવ કુટુમ્બકમ માટે યોગ, હર ઘર આંગણે યોગ થીમ પર યોગ દિવસની ઉજવણી હાથ ધરવામાં આવનાર છે. તો ૨૧ મી જૂનના રોજ પ્રત્યેક ગામ તેમજ પ્રત્યેક ઘર આંગણે સવારે ૬:૩૦ થી ૭:૪૫ દરમ્યાન લોકો યોગમાં જોડાય તે જરૂરી છે.જિલ્લામાં તમામ તાલુકા તથા નગરપાલિકા કક્ષાએ વિવિધ સ્થળ પર યોગ દિવસ અન્વયે કાર્યક્રમ યોજાનાર છે.જે અંતર્ગત મોરબી તાલુકા કક્ષાની ઉજવણી પટેલ સમાજ વાડી શનાળા ખાતે, મોરબી નગરપાલિકા કક્ષાની ઉજવણી મણી મંદિર મોરબી ખાતે, હળવદ નગરપાલિકા કક્ષાની મહર્ષિ ગુરુકુળ ખાતે તથા હળવદ તાલુકા કક્ષાની અમૃત સરોવર સાઈટ સાપકડા ખાતે, માળિયા તાલુકા કક્ષાની હોથી હાઇસ્કુલ ખાતે, ટંકારા તાલુકા કક્ષાની આર્ય વિદ્યાલય ખાતે, વાંકાનેર તાલુકા કક્ષાની અમરસિંહજી હાઇસ્કુલ ખાતે, વાંકાનેર નગરપાલિકા કક્ષાની ઉજવણી નગરપાલિકા કેમ્પસ ખાતે કરવામાં આવનાર છે તેવું તાલુકા કક્ષા યોગ સમિતિના સભ્ય સચિવ અને પ્રાંત યુવા વિકાસ અધિકારી સત્યજીત વ્યાસ તેમજ બુધાભાઈ નાકીયાએ જણાવ્યું છે.






Latest News