મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં વિવિધ સ્થળોએ તાલુકા અને નગરપાલિકા કક્ષાએ યોગ દિવસની ઉજવણી થશે


SHARE











 

મોરબી જિલ્લામાં વિવિધ સ્થળોએ તાલુકા અને નગરપાલિકા કક્ષાએ યોગ દિવસની ઉજવણી થશે

ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તથા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા વહીવટી તંત્ર મોરબી દ્વારા સંચાલિત વિશ્વ યોગ દિવસની તાલુકા તથા નગરપાલિકા કક્ષાએ વિવિધ સ્થળોએ ૨૧ મી જૂનના રોજ ઉજવણી કરવામાં આવનાર છે.

વસુધૈવ કુટુમ્બકમ માટે યોગ, હર ઘર આંગણે યોગ થીમ પર યોગ દિવસની ઉજવણી હાથ ધરવામાં આવનાર છે. તો ૨૧ મી જૂનના રોજ પ્રત્યેક ગામ તેમજ પ્રત્યેક ઘર આંગણે સવારે ૬:૩૦ થી ૭:૪૫ દરમ્યાન લોકો યોગમાં જોડાય તે જરૂરી છે.જિલ્લામાં તમામ તાલુકા તથા નગરપાલિકા કક્ષાએ વિવિધ સ્થળ પર યોગ દિવસ અન્વયે કાર્યક્રમ યોજાનાર છે.જે અંતર્ગત મોરબી તાલુકા કક્ષાની ઉજવણી પટેલ સમાજ વાડી શનાળા ખાતે, મોરબી નગરપાલિકા કક્ષાની ઉજવણી મણી મંદિર મોરબી ખાતે, હળવદ નગરપાલિકા કક્ષાની મહર્ષિ ગુરુકુળ ખાતે તથા હળવદ તાલુકા કક્ષાની અમૃત સરોવર સાઈટ સાપકડા ખાતે, માળિયા તાલુકા કક્ષાની હોથી હાઇસ્કુલ ખાતે, ટંકારા તાલુકા કક્ષાની આર્ય વિદ્યાલય ખાતે, વાંકાનેર તાલુકા કક્ષાની અમરસિંહજી હાઇસ્કુલ ખાતે, વાંકાનેર નગરપાલિકા કક્ષાની ઉજવણી નગરપાલિકા કેમ્પસ ખાતે કરવામાં આવનાર છે તેવું તાલુકા કક્ષા યોગ સમિતિના સભ્ય સચિવ અને પ્રાંત યુવા વિકાસ અધિકારી સત્યજીત વ્યાસ તેમજ બુધાભાઈ નાકીયાએ જણાવ્યું છે.






Latest News