મોરબી જીલ્લામાં કામ કરતાં પરપ્રાંતિય કર્મચારીઓ અને ભાડુઆતની માહિતી પોલીસને આપવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે કલેકટરે પ્રસિદ્ધ કર્યું જાહેરનામું મોરબી જિલ્લાના બંદર-ડેમ સહિત ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબી તાલુકાનાં લુંટ/ ધાડ-લુંટની કોશિશના બે ગુનામાં નાસતો ફરતો આરોપી 30 વર્ષે પકડાયો ઈરાન-ઇઝરાઈલ યુદ્ધના લીધે મોરબી પેપર મિલ ઉદ્યોગના 800થી વધુ કન્ટેનરો દરિયાઈ માર્ગ-પોર્ટ ઉપર ફસાયા મોરબીના જુના બસ સ્ટેશન પાસે અપરણિત યુવાને ગળેફાંસો ખાઈને કર્યો આપઘાત હળવદના દીઘડીયા ગામ પાસેથી 288 બોટલ દારૂ ભરેલ કાર સાથે એક ઝડપાયો, 5.56 લાખના મુદ્દામાલ કબજે વિશ્વ શાંતિ માટે મોરબીમાં આગામી ગુરુવારે નવકાર મંત્ર જાપનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી-રફાળેશ્વરની જુદીજુદી ત્રણ પેઢીના ત્રણ સંચાલકએ સરકાર સાથે કરી ૪.૨૮ કરોડની છેતરપિંડી


SHARE











મોરબી-રફાળેશ્વરની જુદીજુદી ત્રણ પેઢીના ત્રણ સંચાલકએ સરકાર સાથે કરી ૪.૨૮ કરોડની છેતરપિંડી

મોરબી અને રફાળેશ્વરમાં આવેલ જુદીજુદી ત્રણ પેઢીના સંચાલકો દ્વારા કરોડો રૂપિયાનો વેપારી કરીને સરકારમાં જમા કરવાના થતો 18 ટકા ટેક્સ જમા કરાવેલ નથી અને આટલું જ નહીં પરંતુ ધડમૂડથી રદ્દ વેપારીઓની ઇનપુટ ટેક્સ ક્રેડિટનો દાવો રીટર્નમાં કરીને તેઓએ ખોટા રીટર્ન ભરેલ છે તથા ખોટી રીતે હિસાબો બતાવી ટેક્સની ચોરી કરી છે જેથી કરીને હાલમાં જીએસટી વિભાગના બે અધિકારી દ્વારા જુદાજુદા પોલીસ સ્ટેશનમાં સરકાર સાથે ૪.૨૮ કરોડનો વિશ્વાસઘાત તથા છેતરપીંડી કરનારા ત્રણ પેઢીના ત્રણ સંચાલકોની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે

જાણવા મળતી માહિતી મુજબ હાલમાં લાલબાગ સરકારી કર્વાટર્સમાં રહેતા સહાયક રાજ્ય વેરા કમિશ્નરની કચેરીમાં ફરજ બજાવતા સ્મિત જયેન્દ્રકુમાર પટેલ (30)એ હાલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મોરબીમાં નાગર પ્લોટમાં આવેલ જય શોપીંગમાં મે. વિશાલ એંટરપ્રાઈસના માલિક રફીકભાઇ રજાકભાઇ માંડવીયા રહે. કુબેરનાથ રોડ મોરબી અને મોરબીના જય કોમ્પલેક્ષ અનિકેત કોર્પોરેશનના માલિક ગફારભાઇ રજાકભાઇ માંડવીયા રહે. કુબેરનાથ રોડ મોરબી વાળા સામે ટેક્સની ચોરી સરકાર સાથે વિશ્વાસઘાત તથા છેતરપીંડી કર્યાની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કેઆરોપી રફીકભાઇ રજાકભાઇ માંડવીયાએ પોતાના મે. વિશાલ એંટરપ્રાઈસ નામની પેઢીના વર્ષ ૨૦૦૬/૦૭૨૦૦૭/૦૮નું કુલ રુપિયા ૧,૦૬,૪૮,૦૩૩ અને ૧૮ ટકા વ્યાજ સરકારની તીજોરીમા જમા કારાવેલ નથી તેવી જ રીતે આરોપી ગફારભાઇ રજાકભાઇ માંડવીયાએ પોતાની અનિકેત કોર્પોરેશન પેઢીના વર્ષ ૨૦૦૬/૦૭૨૦૦૭/૦૮ અને ૨૦૦૮/૦૯ નું કુલ રુપિયા ૧,૭૭,૮૭,૯૦૦ અને ૧૮ ટકા વ્યાજ સરકારની તીજોરીમાં જમા કારાવેલ નથી અને આ બન્ને આરોપીઓએ ધડમૂડથી રદ્દ વેપારીઓની ઇનપુટ ટેક્સ ક્રેડિટનો દાવો રીટર્નમાં કરી તેઓએ ખોટા રીટર્ન ભરેલ છે તથા ખોટી રીતે હિસાબો બતાવી ટેક્સની ચોરી કરીને સરકાર સાથે વિશ્વાસઘાત તથા છેતરપીંડી કરી છે જેથી કરીને પોલીસે અધિકારી નોંધાવેલ ફરિયાદ આધારે આઇ.પી.સી. કલમ ૪૦૬૪૨૦ તથા ગુજરાત મુલ્યવર્ધિત વેરા કાયદા હેઠ્ળ કલમ ૮૫(સી), (ઈ) અને (જી) મુજબ ગુનો નોંધીને આગળને કાર્યવાહી કરેલ છે

મોરબીમાં રહેતા અને જીએસટી વિભાગમાં ફરજ બજાવતા પુજાબેન ચંદુલાલ વશ્નાણી (30)એ હાલમાં રફીકભાઇ રજાકભાઇ માંડવીયા રહે. કુબેરનાથ રોડ મોરબીગફારભાઇ રજાકભાઇ માંડવીયા  રહે. કુબેરનાથ રોડ મોરબી અને તોફીકભાઇ રજાકભાઇ માંડવીયા રહે. કુબેરનાથ રોડ મોરબી વાળાની સામે સરકારની સાથે વિશ્વાસઘાત તથા છેતરપીંડીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેમણે જણાવ્યુ છે કેરફાળેશ્વર ઇન્ડ. એસ્ટેટમાં પ્લોટ નં ૧૯૨/૧૯૬ મે. વિક્રમ એલોય નામની પેઢીના વર્ષ ૨૦૦૬/૦૭૨૦૦૭/૦૮ અને ૨૦૦૮/૦૯ નું કુલ રુપિયા ૧,૪૩,૮૪,૪૦૪ અને ૧૮ ટકા વ્યાજ સરકારની તીજોરીમા જમા કારાવેલ નથી અને ત્રણેય આરોપીઓએ ધડમૂડથી રદ્દ વેપારીઓની ઇનપુટ ટેક્સ ક્રેડિટનો દાવો રીટર્નમાં કરી તેઓએ ખોટા રીટર્ન ભરેલ છે તથા ખોટી રીતે હિસાબો બતાવી ટેક્સની ચોરી કરીને સરકાર સાથે વિશ્વાસઘાત તથા છેતરપીંડી કરેલ છે જેથી અધિકારી નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં આઇ.પી.સી. કલમ ૪૦૬૪૨૦ તથા ગુજરાત મુલ્યવર્ધિત વેરા કાયદા હેઠ્ળ કલમ ૮૫(સી), (ઈ) અને (જી) મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News