મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી મોરબીના સંતો-મહંતો, અધિકારી અને આગેવાનોની હાજરીમાં મચ્છુ કાંઠા અને હાલાર રબારી સમાજના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાયો ટંકારાના ડેમી-2 ડેમના 2 દરવાજા ચેકડેમો ભરવા માટે 1 ફૂટ ખોલ્યા ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ
Breaking news
Morbi Today

હળવદના દેવીપુરમાં મોબાઈલ આપવાની ના પાડીને ભણવામાં ધ્યાન દેવા પિતાએ ઠપકો આપતા સગીરાએ અંતિમ પગલું ભર્યું


SHARE











હળવદના દેવીપુરમાં મોબાઈલ આપવાની ના પાડીને ભણવામાં ધ્યાન દેવા પિતાએ ઠપકો આપતા સગીરાએ અંતિમ પગલું ભર્યું

હળવદ તાલુકાના દેવીપુર ગામે રહેતી સગીરાને ધો. ૧૦ પાસ કરીને ૧૧ માં આવેલ સગીરાને તેના પિતાએ તેને મોબાઈલ આપવાની ના પાડી હતી અને ભણવામાં ધ્યાન આપવા માટે કહ્યું હતું જેથી કરીને તે સગીરાને લાગી આવતા તેણે પોતાના ઘરની અંદર સાડી વડે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો ત્યારબાદ તેના મૃતદેહને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવ અંગેની મૃતક સગીરાના પિતાએ હળવદ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના દેવીપુર ગામે રહેતાને ખેતી કામ કરતા મહેશભાઈ કરસનભાઈ તારબુંદીયા જાતે દલવાડી (૪૦) ની ૧૬ વર્ષની દીકરી માધવીબેન તારબુંદીયા જાતે દલવાડીએ પોતાના ઘરની અંદર સાડી વડે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની મહેશભાઈ તારબુંદીયાએ હળવદ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે મૃતક સગીરા માધવીબેનને ધોરણ ૧૦ માં ૫૭ ટકા મળેલા હોય ધો. ૧૧ માં આવી હતી અને તેને મોબાઈલનો વધુ પડતો રસ હતો જેથી તેના પિતાએ મોબાઈલ આપવાની ના પાડીને ભણવામાં ધ્યાન આપવા માટે ઠપકો આપ્યો હતો જે બાબતે તેને મનોમન લાગી આવતા સગીરાએ પોતાના ઘરની અંદર સાડી વડે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે હાલમાં પોલીસે આ અંગેની પોલીસે નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે






Latest News