તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના નારણકા ગામના બજરંગ ધૂન મંડળે કિર્તન કરીને બે લાખનું કર્યું દાન


SHARE











મોરબીના નારણકા ગામના બજરંગ ધૂન મંડળે કિર્તન કરીને બે લાખનું કર્યું દાન

મોરબી તાલુકાનાં નારણકા ગામના બજરંગ ધૂન મંડળ દ્વારા ૧૦ વર્ષથી નિસ્વાર્થ ભાવે ભજન ધુન કરવામાં આવે છે અને જયા વાયક આવે ત્યા જાય છે. અને જે રકમ આવે તેને સેવા કાર્યમાં વાપરે છે હાલમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સેવા આપતા દંપતીએ મંડળને અમદાવાદ સિવિલ હોસ્પિટલ વિશેની વાત કરી હતી અને આ ટિફિન સેવામાં સહયોગ આપવા માટે બજરંગ ધૂન મંડળના કાર્યકર્તાઓએ તૈયારી કરી હતી

આ બજરંગ ધુન મંડળમાં જે પણ કંઈ આવક આવશે તે તમામ આવક  અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સદભાવના પાટીદાર સમાજ સેવા ટ્રસ્ટને અર્પણ કરવાનો સંકલ્પ કર્યો હતો ત્યાર બાદ બજરંગ ધૂન મંડળ લગભગ બે મહિનામાં ૧.૯૫ લાખ રૂપિયા એકત્રિત કર્યા હતા અને આ રકમ સેવામાં આપવામાં આવેલ છે નારણકા ગામબ બજરંગ ધૂન મંડળ દ્વારા આવવા જવા માટેનો કોઈપણ ખર્ચ લેવામાં આવતો નથી અને જે કંઈ યોગદાન આવે છે તે તમામ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સદભાવના પાટીદાર સમાજ સેવા ટ્રસ્ટને અર્પણ કરે છે આ બજરંગ ધૂન મંડળમાં કાંતિભાઈ શીવાભાઈ સુરાણી, મેરજા મનસુખભાઈ દેવજીભામેરજા ભરતભાઈ છગનભાઈ, મેરજા કિરીટભાઈ અરજણભાઈ, મયંક અશોકભાઈ મેરજા, સગરામભાઇ અણદાભાઈ રબારી, મનસુખભાઈ કાનજીભાઈ મોરડીયા, દેવરાજભાઈ પ્રેમજીભાઈ મેરજા, નરભેરામભાઈ ટપુભાઈ મેરજા, ચુનીભાઇ લાલજીભાઈ મેરજા, જસમતભાઈ દેવજીભાઈ કારોલીયા, બીપીનભાઈ ચતુરભાઈ દાવા, હરિલાલ ભટ્ટ સહિતના જોડાયેલ છે.






Latest News