મોરબીમાં મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક નિમિતે ભવ્ય શોભાયાત્રા યોજાઇ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે યુવાનની હત્યાનો પ્રયાસ કરનારા આરોપીના ઘરમાંથી એક પિસ્તોલ-નવ જીવતા કાર્ટિઝ ઝડપાયા, વધુ એક ગુનો નોંધાયો મોરબીના ખેવારીયા ગામે વાડીએ ઇલેક્ટ્રીક શોટ લાગતા 16 વર્ષના બાળકનું મોત મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ
Breaking news
Morbi Today

વાંકાનેરના તીથવા નજીક ઘેટાને બાઇક અડી જવાના બનાવમાં ૧૦ શખ્સો સામે વાળતી રાયોટીંગની ફરિયાદ નોંધાઈ


SHARE











વાંકાનેરના તીથવા નજીક ઘેટાને બાઇક અડી જવાના બનાવમાં ૧૦ શખ્સો સામે વાળતી રાયોટીંગની ફરિયાદ નોંધાઈ

વાંકાનેર તાલુકાના તીથવા ગામથી કોઠારીયા તરફ જવાના રસ્તા ઉપર ઘેટાને બાઇક અડી જતા બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવ સંદર્ભે અગાઉ એક ફરિયાદ નોંધાઈ હતી ત્યારબાદ હાલમાં માલધારીએ ૧૦ શખ્સોની સામે મારામારી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવા અંગેની ફરિયાદ નોંધાવી છે જેથી કરીને પોલીસે રાયોટીંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેર તાલુકાના તીથવાથી કોઠારીયા જવાના રસ્તે બાકરોલિયા મંજૂર હુસેનભાઈની વાડી પાસેથી ઘેટા બકરા લઈને માલધારીઓ પસાર થઈ રહ્યા હતા ત્યારે ઘેટાને બાઈક અથડાયું હતું જે બાબતે બોલા ચાલી અને મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવ સંદર્ભે યાકુબભાઈ વકાલીયાએ ગઈકાલે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે રાયોટીંગનો ગુનો દાખલ કર્યો હતો ત્યારબાદ વળતી ફરિયાદ આ બનાવમાં નોંધાયેલ છે જેમાં માલધારી દિનેશભાઈ તેજાભાઈ બાંભવા જાતે ભરવાડ (૨૮) રહે તીથવા વાળાએ યાકુભાઈ અલીભાઈ વકાલીયા, ઈસ્માઈલભાઈ અલીભાઇ વકાલીયા, મોઈનભાઈ ઈસ્માઈલભાઈ વકાલીયા, જાવેદ રસુલભાઈ વકાલીયા, ગુલાબભાઈ અલાવદીનભાઈ વકાલીયા, મહેબુબભાઇ અલાઉદ્દીનભાઈ વકાલીયા, સિરાજભાઈ રસુલભાઈ વકાલીયા, રેનીશભાઈ હુસેનભાઇ વકાલીયા, હનીફભાઈ અલાઉદ્દીનભાઈ વકાલીયા, નૂરાભાઈ અલાઉદ્દીનભાઈ વકાલીયા અને યુનુસુભાઈ અલાઉદીનભાઈ વકાલીયા રહે. બધા તિથવા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે ફરિયાદી તથા અન્ય માલધારીઓ પોતાના માલઢોર લઈને તીથવાથી કોઠારીયા તરફ જવાના કાચા રસ્તા ઉપર થી જઈ રહ્યા હતા ત્યારે આરોપી યાકુભાઈ વકાલીયા ડબલ સવારી બાઇક લઈને ત્યાંથી નીકળ્યા હતા અને ત્યારે ઘેટાં સાથે બાઈક અથડાવ્યું હતું જેથી કરીને કાળુભાઈએ તેને બાઈક જોઈને ચલાવવા માટે થઈને કહ્યું હતું અને ત્યારે આરોપીએ ઉશકેરાઇ જઈને ગાળો આપી હતી તેમજ ફરિયાદી યુવાનને લોખંડનો પાઇપ નાક તથા હોઠના ભાગે મારીને ઇજા કરી હતી તેમજ યાકુભાઈ અને ઈસ્માઈલભાઈએ મળીને ફરિયાદી તથા સાહેદ કાળુભાઈને ઢીકા પાટુનો માર મારીને ઇજા કરી હતી અને બધા આરોપીઓએ છૂટા પથ્થરના ઘા કરીને જેમ ફાવે તેમ ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાન અને તેની સાથે ઇજા પામેલા વ્યક્તિઓને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ દિનેશભાઈ બાંભવા દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ૧૦ શખ્સોની સામે રાયોટીંગ સહિતની કલમો હેઠળ ગુનો વધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News