મોરબી જિલ્લા પંચાયત, 5 તાલુકા પંચાયત અને 2 પાલિકાની 179 બેઠક માટે ભાજપમાં 580 દાવેદાર: કાલે મોરબી મહાપાલિકા-માળીયા (મી) પાલિકાની બેઠકો માટે સેન્સ લેવાશે મોરબી: રાપર-મણાબા વચ્ચે અકસ્માતમાં ઘવાયેલ યુવાનનું સારવાર દરમ્યાન મોત ટંકારાના મોટા રામપર ગામે નારીચાણીયા હનુમાનજી મંદિરે હનુમાન જયંતિ ઉજવાઇ મોરબીમાં ફાયરના વાહનોમાં ઝડપથી પાણી ભરી શકાય તે માટે નવા 5 પોઈન્ટની વ્યવસ્થા ઊભી કરાઇ મોરબીમાં નકલી દૂધ-નકલી પનીરનું વેચાણ થતું હોવાનું ગ્રાહક સુરક્ષા મંડળે કરી કમિશનરને રજૂઆત મોરબીમાં બાબા સાહેબ આંબેડકરજી-મહાત્મા જ્યોતિબા ફૂલેજીની જન્મજયંતિ નિમિત્તે સંગીત સંધ્યાનું આયોજન મોરબી જીલ્લામાં 89 પોલીસ કર્મચારીઓની બદલી મોરબીના કેળવણી નિરીક્ષક શિક્ષણ વય નિવૃત થતા વિદાયમાન અપાયું
Breaking news
Morbi Today

વાંકાનેરની માલધારી નેશ શાળામાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી


SHARE











વાંકાનેરની માલધારી નેશ શાળામાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાની નાની પણ રમ્ય એવી માલધારી નેશ પ્રાથમિક શાળામાં સાંસે હો રહી હૈ કમ,આઓ પેડ લગાયે હમ સૂત્રને સાર્થક કરવા ૫ મી જૂન ૨૦૨૩ વિશ્વ વન દિવસ નિમિત્તે બાળકો તેમજ સામાજિક વનીકરણ રેન્જ રાજકોટ દ્વારા ૫૧ એકાવન વૃક્ષો વાવીને વિશ્વ પર્યાવરણ દિનની ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે શાળાના આચાર્ય અને અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘ-વાંકાનેરના અધ્યક્ષ અશોકભાઈ સતાસિયાની નોકરીના ૩૨ બત્રીસ વર્ષ પૂર્ણ થયા હોય બત્રીસ વૃક્ષ વાવ્યા હતા એ આ વર્ષે તમામ ઉછેરી ગયા છે અને ખૂબ મોટા પણ થઈ ગયા છે આ પ્રસંગે અશોકભાઈ સતાસીયાએ જણાવ્યું હતું કે, લોકો વૃક્ષના મહત્વને સમજે,જાણે અને પર્યાવરણનું જતન કરતા થાય એ માટે ૫ મી જૂન ૧૯૭૩ થી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી થતી આવી છે એના ભાગરૂપે આજે શાળામાં ઉજવણી કરવામાં આવેલ છે,રેન્જ ફોરેસ્ટ ઓફિસર સાગરભાઈએ પણ ઉપસ્થિત તમામને પ્રેરણાત્મક વાતો કરી હતી, વૃક્ષોનું જતન કરનાર વિદ્યાર્થીઓને ઈનામો આપ્યા હતા. આ પ્રસંગે માલધારી નેશના વિસ્તારના આગેવાન અને એસએમસીના અધ્યક્ષ ગોવિંદભાઇ ફાંગલિયા ઉર્ફે નાનકાભાઈ તેમજ ગામના સરપંચ ગુલાભાઈ પરાસરાએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો,સમગ્ર કાર્યક્રમ માટે શાળા પરિવારે ખુબજ જહેમત ઉઠાવી હતી.






Latest News