મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી : માળીયા(મિં.)નું બસ સ્ટેશન નવું બનાવવા તથા જામનગર હાઇવે બનાવવા માંગ


SHARE







મોરબી : માળીયા(મિં.)નું બસ સ્ટેશન નવું બનાવવા તથા જામનગર હાઇવે બનાવવા માંગ

મોરબી જિલ્લામાં માળિયા મીંયાણા વિસ્તારને પછાત ગણવામાં આવે છે અને સતત ઓરમાયુ વર્તન તેની સાથે કરવામાં આવતુ હોય તેવું જોવા મળે છે. દરમ્યાનમાં મોરબીના પ્રતિનિધિઓએ આગેવાનોને સાથે રાખીને રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને મળીને રજૂઆત કરતા જણાવ્યુ હતુ કે માળિયા મિયાણાનું બસ સ્ટેશન નવું બનાવી આપવામાં આવે તેમજ નેશનલ હાઈવે-૮ થી માળિયા મામલતદાર કચેરી સુધીનો અને માળીયા-જામનગરનો હાઇવે બનાવી આપવામાં આવે તેવી માંગ કરી હતી.

વધુમાં જાણવા મળતી માહીતી મુજબ માળીયાના આગેવાનો અમદાવાદ મ્યુ.કાઉન્સિલર તથા મિંયાણા સમાજ પ્રદેશ પ્રમુખ અકબર હુસેન ભટ્ટી, માજી ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાની સાથે મળીને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીને મળ્યા હતા. જેમાં મોરબીના માળીયા મિંયાણાનું બસ સ્ટેન્ડ નવું બનાવવા અને નેશનલ હાઇવે નંબર-૮ થી માળીયા મામલતદાર કચેરી સુધીનો જામનગર હાઇવે રોડ નવો બનાવી આપવા રૂબરૂ મળીને રજુઆતો કરી હતી.






Latest News