મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના સતવારા સમાજની વર્ષો જૂની પ્રથાને જાળવી રાખતી યુવા પેઢી


SHARE







મોરબીના સતવારા સમાજની વર્ષો જૂની પ્રથાને જાળવી રાખતી યુવા પેઢી

મોરબીના માધાપર અને માધાપર વાડી વિસ્તારમાં રહેતા સતવારા સમાજના જે યુવાનોને છેલ્લા એક વર્ષમાં લગ્ન થયા હોય તે તમામ યુવાનો એકો સાથે દર વર્ષે જેઠ સુદ પૂનમના દિવસે મોરબીના માધાપર વિસ્તારમા આવેલ રામજી મંદિરે દર્શન કરવા માટે આવતા હોય છે તેવી જ રીતે વિક્રમ સવંત ૨૦૭૮ ભીમ અગિયારસથી વિક્રમ સવંત ૨૦૭૯ ભીમ અગિયારસ સુધીના વર્ષ દરમિયાન માધાપર અને માધાપર વાડી વિસ્તારમાં વસવાટ કરતા સતવારા સમાજના જે દીકરાઓના લગ્ન થયા હતા તે તમામ વરરાજાઓ વર્ષો જૂની પરંપરા મુજબ જેઠ સુદ પૂનમને રવિવારે સામૂહિક દર્શન કરવા માટે આવ્યા હતા અને રામચંદ્રના દર્શન કરીને પોતાના સુખી દાંપત્યજીવનની કામના કરી હતી અને ત્યારે રામજી મંદિર સતવારા જ્ઞાતિ ટ્રસ્ટ તરફથી દરેક વરરાજાઓના દાંપત્ય જીવનમાં સદાય એકબીજા પ્રત્યે પ્યાર અને વિશ્વાસની ધારા કાયમ વહેતી રહે અને તમામનું દાંપત્ય જીવન ખુશીઓથી મહેકતું રહે તેવા આશીર્વાદ આપવામાં આવ્યા હતા આ તકે ટ્રસ્ટીઓ ધર્મેન્દ્રભાઈ કંઝારીય, ડાયાભાઈ ડાભી, શાંતિલાલભાઈ સોનગ્રા, પ્રેમજીભાઈ પરમાર સહિતના હાજર રહ્યા હતા






Latest News