મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત મોરબી જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ૨૬મી એપ્રિલે મતદાન: ૮૬૧ મતદાન મથકો નિર્ધારિત કરાયા મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે કલેક્ટરના અધ્યક્ષસ્થાને નોડલ અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ મોરબી જીલ્લામાં મહાપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયત અને પાલિકાઓની ચૂંટણી પારદર્શી વાતાવરણમાં સંપન્ન કરવા તંત્ર સજ્જ મોરબી જિલ્લામાં ચાર લોકોને ભેગા થવા, સભા-સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ: ૩૦ એપ્રિલ સુધી હથિયારબંધી મોરબી જિલ્લા પંચાયત, 5 તાલુકા પંચાયત અને 2 પાલિકાની 179 બેઠક માટે ભાજપમાં 580 દાવેદાર: કાલે મોરબી મહાપાલિકા-માળીયા (મી) પાલિકાની બેઠકો માટે સેન્સ લેવાશે મોરબી: રાપર-મણાબા વચ્ચે અકસ્માતમાં ઘવાયેલ યુવાનનું સારવાર દરમ્યાન મોત
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર ગામ રહેતો યુવાન ગુમ


SHARE











મોરબીના મહેન્દ્રનગર ગામ રહેતો યુવાન ગુમ

મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ગામે રહેતા અને મૂળ સુરવદર ગામનો વતની પટેલ યુવાન ગુમ થઈ જતા તેના નાના ભાઈ દ્વારા ફરિયાદ કરવામાં આવતા હાલ બી ડિવિઝન પોલીસ દ્વારા નોંધ કરીને તપાસ શરૂ કરવામાં આવેલ છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકેથી જાણવા મળતી વિહતો મુજબ મોરબીના સામાકાંઠે આવેલા મહેન્દ્રનગર ગામની ક્રાંતિજયોત સોસાયટી તક્ષશિલા સ્કૂલ પાસે રહેતા જીતેન્દ્રભાઈ ડાયાભાઈ દેસાઈ જાતે પટેલ (ઉમર ૪૬) નામનો યુવાન ગત તા.૩૧-૫ ના રોજ સવારના નવેક વાગ્યે ઘરેથી કોઈને કંઈ પણ કહયા વગર ગુમ થઈ જતા પરિવારજનો દ્વારા ઘરમેળે શોધખોળ કરવામાં આવી હતી છતાં પણ જીતેન્દ્રભાઈ દેસાઈનો કોઈ પતો લાગ્યો ન હોય હાલ તેઓના નાનાભાઈ કિશોરભાઈ ડાયાભાઈ દેસાઈ પટેલ (૪૦) રહે. તક્ષશિલા સ્કૂલ પાસે કાંતિજ્યોત પાર્ક સોસાયટી મહેન્દ્રનગર મોરબી-૨ મૂળ રહે.સુરવદર તા.હળવદ વાળાએ પોલીસ મથકમાં જાણ કરતા હાલ બી ડિવિઝન પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ જગદીશભાઈ ડાંગર દ્વારા ગુમ થયેલા જીતેન્દ્રભાઈ દેસાઈની શોધખોળ હાથ ધરવામાં આવેલ છે.

મારામારીમાં ઈજા થતાં સારવારમાં

હળવદ તાલુકાના માથક ખાતે એસબીઆઇ બેંક પાસે થયેલ  મારામારીના બનાવમાં બે યુવાનોને ઇજા થતા સારવાર માટે મોરબીની સિવિલે લાવવામાં આવ્યા હતા પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે દેવસંગ મંગુભાઈ મોરી (ઉમર ૧૮) અને કિશન અજીતભાઈ મુછડીયા (ઉંમર ૧૯) રહે બંને થાન જી.સુરેન્દ્રનગર વાળાઓને માથક ગામે એસબીઆઇ બેન્ક પાસે મારામારીના બનાવવામાં ઇજાઓ થતા બંનેને અત્રેની સિવિલે લાવવામાં આવ્યા હોય મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના વી.કે.પટેલ દ્રારા નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી રહી છે.

અજાણી દવા પી જતા સારવારમાં

જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં આવેલા તારણા ગામે રહેતા મીનાબેન હમીરભાઈ ડાંગર નામની ૨૬ વર્ષી મહિલા કોઈ અજાણી દવા અકળ કારણોસર પી જતા તેણીને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી જેના પગલે જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના વી.કે.ફૂલતરીયા દ્વારા આગળની તપાસ કરવામાં આવી હતી.જેમાં સામે આવ્યું હતું કે ભૂલથી બીમારીની દવાને બદલે અન્ય દવા પી જતા તેઓને સારવારમાં લાવ્યા હતા.






Latest News