મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

મોરબીની દુકાનમાંથી અખાદ્ય ગોળના ૧૧ ડબ્બા-૧૧ લાટા સાથે એક પકડાયો


SHARE











મોરબીની દુકાનમાંથી અખાદ્ય ગોળના ૧૧ ડબ્બા-૧૧ લાટા સાથે એક પકડાયો

મોરબીના લોહાણાપરા વિસ્તારમાં આવેલ દુકાનમાં અખાદ્ય ગોળનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે મોરબી એ ડિવિઝન પોલીસની ટીમ દ્વારા ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાંથી ૧૧ ડબ્બા અખાદ્ય ગોળ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપીની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે.

સામાન્ય રીતે અખાદ્ય ગોળનો ઉપયોગ દેશી દારૂ બનાવવા માટે કરવામાં આવતો હોય છે જેથી કરીને દેશી દારૂના દૂષણને ડામવા માટે સમયાંતરે જુદી જુદી જગ્યા ઉપર રેડ કરીને અખાદ્ય ગોળના જથ્થાને પકડવામાં આવે છે તેવી જ રીતે મોરબીના લોહાણાપરા શેરી નંબર-૨ માં રહેતા અને દુકાન ધરાવતા યુવાનને ત્યાં અખાદ્ય ગોળનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેથી કરીને ત્યાં ચેક કરવામાં આવતા દુકાનમાંથી અખાદ્ય ગોળના ૧૧ ડબ્બા તથા ૧૧ લાટા મળી આવ્યા હોય પોલીસે કુલ મળીને ૩૩૦૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી રાજેશભાઈ ધીરજલાલ મીરાણી જાતે લોહાણા (૪૭) રહે.લોહાણાપરા શેરી નં-૨ વાળાની ધરપકડ કરેલ છે અને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

દવા પી જતા નવોઢા સારવારમાં

હળવદ તાલુકાના માથક ગામે રહેતી હિનાબેન કલ્પેશભાઈ મનજીભાઈ મકવાણા નામની ૨૩ વર્ષીય નવપરણીતાતા ઘરે ઝેરી દવા પી ગઈ હતી જેથી તેણીને સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી અને સારવાર કર્યા બાદ પોલીસને જાણ કરવામાં આવતા મોરબી એ ડિવિઝન પોલીસ મથકના વી.કે.પટેલ અને રાઈટર હસુભાઈ દ્વારા પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી જેમાં ખુલ્યુ હતું કે હિનાબેન પરિવાર સાથે વાડી વિસ્તારમાં રહેતી હોય અને ભૂલથી દવાવાળા ડબલામાં પાણી પી લેતા તેઓને અસર થઈ હતી જેને લીધે તેઓને સારવારમાં ખસેડવામાં આવી હતી.

યુવાન સારવારમાં

મોરબીના વીસીપરામાં આવેલ વાડી વિસ્તારમાં રહેતો અબ્રાહમ અબ્દુલભાઇ ચાનીયા (ઉમર ૩૩) નામનો યુવાન ઇજાગ્રસ્ત થતા તેને સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા ખુલ્યુ હતુ કે લીલાપર રોડ ઉપર આવેલ આવાસ યોજનાના ત્રીજા માટેથી કોઈ કારણોસર તે નીચે પડી જતા તેને સારવાર માટે દવાખાને લવાયો હતો..!






Latest News