મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં યોજાએલ લોક દરબારમાં લુખ્ખાગીરી-દારૂડીયાના ત્રાસની રાવ


SHARE







મોરબી જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં યોજાએલ લોક દરબારમાં લુખ્ખાગીરી-દારૂડીયાના ત્રાસની રાવ

મોરબી જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં યોજાએલ લોક દરબારમાં સ્થાનીક લોકો દ્રારા લુખ્ખાગીરી-દારૂડીયાના ત્રાસની રાવ કરવામાં આવી હતી. રજૂઆતમાં રહેવાસીઓએ દારૂડીયાઓના ત્રાસ, ફુલસ્પીડે નીકળતા બાયકરનો ત્રાસને હલ કરવા તેમજ વીસીપરા વિસ્તારમાં સારી પોલીસ ચોકી આપવા તેમજ વિસ્તારમાં સીસીટીવી લગાવવા રજુઆત કરાઇ હતી.

મોરબી રણછોડનગરમાં આવેલ સાંઈબાબા મંદિર ખાતે મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો જેમાં મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા લોકોને સંબોધન કરતા જણાવ્યુ કે જીવનની સુરક્ષા માટે બાઈક પર હેલ્મેટ અચૂક પહેરો, દિવસે દિવસે વધી રહેલા સાયબર ક્રાઇમને ઘટાડવા માટે અજાણી એપ્લિકેશનનો ઉપયોગ ન કરો તેમજ કોઈને પણ ફોન પર તમારા બેંકની વિગતો ન આપો તેમજ જો કોઈ પણ પ્રકારના વ્યાજ વટાવના દૂષણમાં ફસાઈ ગયા હોય તો પોલીસની મદદ લઈ તેમાંથી બહાર નીકળવા પ્રયત્ન કરો જેમાં પોલીસ તમામ જાતની મદદરૂપ થશે, ટ્રાફિકના નિયમોનું પાલન કરી ટ્રાફિક સમસ્યાથી દૂર રહો તેમજ જો નાના બાળકો મોબાઈલનો ઉપયોગ કરી રહ્યા છે તો અચૂક ધ્યાન રાખો કે કઈ પ્રકારની મોબાઇલમાં એક્ટિવિટી કરી રહ્યા છે કઈ પ્રકારની એપ્લિકેશનને વાપરી રહ્યા છે જેથી કરીને બાળકોમાં વધતી જતી ગુનાહિત પ્રવૃત્તિઓ તેમજ મોબાઇલને થતા ગેરલાભો કે બચી શકાય.

આ લોક દરબારની અંદર રણછોડનગર, શાંતિવન સોસાયટી, સુમરા સોસાયટી, વિજયનગર, ભીમરાવનગર, રોહીદાસ પરા, લાઇન્સનાગર સહિતના આજુબાજુના વિસ્તારના જાગૃત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા આ સમયે જાગૃત નાગરિકો દ્વારા આ વિસ્તારની અંદર ગેરકાયદેસર થતી પ્રવૃત્તિઓ દારૂનું દુષણને ડામવા એસપીને રજૂઆત કરી હતી તેમજ વીસીપરા વિસ્તાર બહુ મોટો લાંબો હોવાથી વિસ્તારની મધ્યસ્થ પોલીસ ચોકી આપવાની પણ માંગ કરી હતી અને વિસ્તારોમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા માટે સીસીટીવી કેમેરા મુકવા પણ રજૂઆત કરી હતી તદઉપરાંત વિસ્તારમાંથી કુલ સ્પીડ જતા બાયકરને રોકવા માટે પણ પોલીસને જણાવવામાં આવ્યું હતું. તેમજ આ વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓ રોડ, પાણી, લાઈટ અને ભૂગર્ભ સમસ્યાઓની પણ ફરિયાદો કરેલ.આ લોક દરબારમાં જિલ્લા પોલીસવાડા રાહુલ ત્રિપાઠી સાથે બી ડિવિઝન પી.આઇ.દેકાવડિયા વીસીપરા બીટ જમાદાર વશરામભાઈ આહીર, હિતેશભાઈ મકવાણા તેમજ પોલીસ સ્ટાફ પણ હાજર રહ્યો હતો






Latest News