મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાનાં ૫૩ લાખના ઉચાપત કાંડમાં ત્રણ શિક્ષકોની સામે પોલીસ ફરિયાદ


SHARE











મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાનાં ૫૩ લાખના ઉચાપત કાંડમાં ત્રણ શિક્ષકોની સામે પોલીસ ફરિયાદ

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં છેલ્લા ઘણા સમયથી શિક્ષણ વિભાગમાં થયેલ કૌભાંડની માહિતી સામે આવી રહી હતી અને તેની તપાસ કરવામાં આવી રહી હતી જેના અંતે ડીડીઓ દ્વારા ડીપીઇઓને ફરિયાદ નોંધાવવામ માટે અધિકૃત કરવામાં આવતા વાંકાનેર તાલુકામાં શિક્ષણ વિભાગમાં કરાયેલ ૫૩ લાખનું કૌભાંડમાં હાલમાં ત્રણ શિક્ષકોની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ઊંચાપત અને નાણાકીય ગેરરીતિની ફરિયાદ નોંધાવવામાં આવી રહી હોવાનું જાણવા મળેલ છે

વાંકાનેર તાલુકાનાં શિક્ષણ વિભાગમાં શિષ્યવૃતિ સહિતના બાબતોમાં કૌભાંડ કરવામાં આવ્યું છે અને કૌભાંડની તપાસ સમિતિ દ્વારા કરવામાં આવી હતી અને તેના આધારે ૫૩ લાખ રૂપિયાનું કૌભાંડ કરવામાં આવ્યું હોવાની માહિતી સામે આવી હતી જેથી કરીને સરકારી નાણાની ઉચાપત કરનારાઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે મોરબીના ડીડીઓ ડી.ડી. જાડેજાએ ડીપીઇઓને અધિકૃત કરવામાં આવ્યા છે જેથી કરીને હાલમાં ડીપીઇઓ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા માટે પહોચ્યા છે વધુમાં આ બાબતે મોરબીનાડીડીઓ ડી.ડી. જાડેજા સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતું કે, ૫૩ લાખ રૂપિયાનું કૌભાંડ કરવામાં આવ્યું છે તેમાં હાલમાં અરવિંદભાઇ પરમાર, અબ્દુલભાઈ સેરશિયા અને હિમાંશુભાઈ પટેલ સામે ફરિયાદ નોંધાવવામાં આવશે તેના માટે ડીપીઇઓને અધિકૃત કરવામાં આવ્યા છે અત્રે ઉલેખનીય છે કે, વાંકાનેર તાલુકાનાં શિક્ષણ વિભાગમાં શિષ્યવૃતિ સહિતના બાબતોમાં કૌભાંડ કરવામાં આવ્યા છે તેમાં આ ત્રણ શિક્ષકો જ સંડોવાયેલા છે કે પછી બીજા કોઈના પણ તેને આશીર્વાદ હતા કે કેમ તે હવે પોલીસ તપાસમાં સામે આવે છે કે કેમ તે તો આગામી સમય જ બતાવશે






Latest News