મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત
Breaking news
Morbi Today

મોરબીના શનાળા ગામે સમાધાન માટે બોલાવીને યુવાનને છરીનો ઘા ઝીકયો


SHARE







મોરબીના શનાળા ગામે સમાધાન માટે બોલાવીને યુવાનને છરીનો ઘા ઝીકયો

મોરબી નજીકના સખત સનાળા ગામે મંદિર પાસે જુની અદાવત\માં સમાધાન કરવા માટે ફોન કરીને યુવાનને બોલાવવામાં આવ્યો હતો ત્યાર બાદ યુવાનને માથાના પાછળના ભાગે છરીનો ઘ મારીને ઈજા કરવામાં આવી હતી જેથી યુવાનને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને સારવાર લીધા બાદ તેને હાલમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબી નજીકના સનાળા ગામ પાસે આવેલ મુરલીધર હોટલની પાછળના ભાગમાં રહેતા ભુપતભાઈ નાગજીભાઈ વિકાણી જાતે દેવીપુજક (૪૦)એ હાલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સન્ની શાંતિલાલ કડેવાર જાતે દેવીપુજક રહે. ગોકુલનગર લાયન્સનગર પાસે મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, મોરબી નજીકના શનાળા ગામે આવેલ શક્તિ માતાજીના મંદિર સામે જૂની અદાવતમાં સમાધાન કરવા માટે સન્ની કડેવારે ફરિયાદીને ફોન કરીને બોલાવ્યો હતો અને ત્યારબાદ ત્યાં તેને માથાના પાછળના ભાગમાં છરીનો ઘા મારીને ઇજા કરી હતી જેથી ઈજા પામેલા ભુપતભાઈ વિકાણીને સારવાર માટે સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને સારવાર લીધા બાદ તેને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આરોપી સન્ની કડેવારને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના સનાળા રોડ ઉપર માર્કેટયાર્ડ પાસે આવેલ પંકજ ગાઠીયા વાળાને ત્યાં રહેતા દિપેશભાઈ નવીનચંદ્ર ભટ્ટ (૩૫) પોતાનું બાઈક લઈને સનાળા રોડ ઉપર આવેલ ઉમિયા સર્કલ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ઉમિયા સર્કલ નજીક અજાણ્યા બાઈકના ચાલાકે તેઓના બાઈક સાથે બાઇકને અથડાવ્યું હતું જેથી અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં દીપેશભાઈ ભટ્ટને ઇજાઓ થયો હોવાથી તેને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવાની જાણ એ ડિવિઝન પોલીસને કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મોરબીમાં કુબેર ટોકીઝની પાછળના ભાગમાં રહેતા સુમનબેન સંજયભાઈ જીંજવાડિયા નામની મહિલા મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ સામેથી રિક્ષામાં બેસીને પસાર થતી હતી ત્યારે બાઈક ચાલકે હડફેટે લેતા અકસ્માતના બનાવમાં ઇજા પામેલ સુમનબેનને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપવામાં આવ્યા બાદ અકસ્માતના આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના હરેશભાઈ ચાવડા ચલાવી રહ્યા છે






Latest News