વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી મોરબીના સંતો-મહંતો, અધિકારી અને આગેવાનોની હાજરીમાં મચ્છુ કાંઠા અને હાલાર રબારી સમાજના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના શનાળા ગામે સમાધાન માટે બોલાવીને યુવાનને છરીનો ઘા ઝીકયો


SHARE











મોરબીના શનાળા ગામે સમાધાન માટે બોલાવીને યુવાનને છરીનો ઘા ઝીકયો

મોરબી નજીકના સખત સનાળા ગામે મંદિર પાસે જુની અદાવત\માં સમાધાન કરવા માટે ફોન કરીને યુવાનને બોલાવવામાં આવ્યો હતો ત્યાર બાદ યુવાનને માથાના પાછળના ભાગે છરીનો ઘ મારીને ઈજા કરવામાં આવી હતી જેથી યુવાનને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને સારવાર લીધા બાદ તેને હાલમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબી નજીકના સનાળા ગામ પાસે આવેલ મુરલીધર હોટલની પાછળના ભાગમાં રહેતા ભુપતભાઈ નાગજીભાઈ વિકાણી જાતે દેવીપુજક (૪૦)એ હાલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સન્ની શાંતિલાલ કડેવાર જાતે દેવીપુજક રહે. ગોકુલનગર લાયન્સનગર પાસે મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, મોરબી નજીકના શનાળા ગામે આવેલ શક્તિ માતાજીના મંદિર સામે જૂની અદાવતમાં સમાધાન કરવા માટે સન્ની કડેવારે ફરિયાદીને ફોન કરીને બોલાવ્યો હતો અને ત્યારબાદ ત્યાં તેને માથાના પાછળના ભાગમાં છરીનો ઘા મારીને ઇજા કરી હતી જેથી ઈજા પામેલા ભુપતભાઈ વિકાણીને સારવાર માટે સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને સારવાર લીધા બાદ તેને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આરોપી સન્ની કડેવારને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના સનાળા રોડ ઉપર માર્કેટયાર્ડ પાસે આવેલ પંકજ ગાઠીયા વાળાને ત્યાં રહેતા દિપેશભાઈ નવીનચંદ્ર ભટ્ટ (૩૫) પોતાનું બાઈક લઈને સનાળા રોડ ઉપર આવેલ ઉમિયા સર્કલ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ઉમિયા સર્કલ નજીક અજાણ્યા બાઈકના ચાલાકે તેઓના બાઈક સાથે બાઇકને અથડાવ્યું હતું જેથી અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં દીપેશભાઈ ભટ્ટને ઇજાઓ થયો હોવાથી તેને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવાની જાણ એ ડિવિઝન પોલીસને કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મોરબીમાં કુબેર ટોકીઝની પાછળના ભાગમાં રહેતા સુમનબેન સંજયભાઈ જીંજવાડિયા નામની મહિલા મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ સામેથી રિક્ષામાં બેસીને પસાર થતી હતી ત્યારે બાઈક ચાલકે હડફેટે લેતા અકસ્માતના બનાવમાં ઇજા પામેલ સુમનબેનને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપવામાં આવ્યા બાદ અકસ્માતના આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના હરેશભાઈ ચાવડા ચલાવી રહ્યા છે






Latest News