મોરબી જિલ્લામાં ત્રણ તાલુકાની 124 બેઠકો માટે ભાજપમાં 237 દાવેદાર: આજે બે તાલુકા પંચાયત, બે તાલુકાની જિલ્લા પંચાયતની બેઠકો અને એક પાલિકાની બેઠક માટે સેન્સ લેવાશે ગેસ કંપનીએ રોન કાઢી !: ગુજરાત ગેસ કંપનીએ મોરબીમાં સિરામિક ઉદ્યોગના કાયમી-આપદા સમયે આવેલ ગ્રાહકો માટે આપેલા ગેસના ભાવમાં જમીન આસમાનનો તફાવત હળવદના ભલગામડા-દીઘડીયા રોડે ડબલ સવારી બાઇક સાથે બાઇક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં એકનું મોત ટંકારાના ઓટાળા ગામે ખેતરના શેઢાની જમીન માપણીના મનદુખમાં સામસામે મારા મારી: હવે બંને પક્ષેથી ફરિયાદ ટંકારાના લતીપર રોડે ટ્રક સાથે બાઇક અથડાતાં બાઇક ચાલકનું મોત મોરબીના ખાખરાળા ગામ પાસે બસમાંથી ઉતરીને રોડ ક્રોસ કરતાં બે મહિલા સહિત 4 પૈકીનાં 3 લોકોને કાર ચાલકે ઉડાવ્યા મોરબીમાં દેશી-વિદેશી દારૂની 3 રેડમાં 2.09 લાખથી વધુનો મુદામાલ કબ્જે માળીયા (મી)ના રાયસંગપર ગામ નજીકથી જામગરી બંદૂક સાથે એક પકડાયો
Breaking news
Morbi Today

મોરબીમાં ગ્રાહક સુરક્ષા કોર્ટે ખેડૂત પરિવારને વીમા કંપનીએ કરેલ અન્યાય સામે કર્યો ન્યાય


SHARE











મોરબીમાં ગ્રાહક સુરક્ષા કોર્ટે ખેડૂત પરિવારને વીમા કંપનીએ કરેલ અન્યાય સામે કર્યો ન્યાય

મોરબીના ગોરખીજડીયા સહકારી મંડળીના સભ્યનો વીમો ઉતારનાર ચૌલા મંડલમ જનરલ ઈન્સ્યુરન્સ કંપનીએ વીમો આપવામાં બહાનું કાઢ્યું હતું અને ડ્રાઈવીંગ લાયસન્સના બહાને ખેડૂતનો વીમો આપવામાં આવ્યો ન હતો જેથી તેનો કેસ ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ચાલી ગયો હતો અને હાઇકોર્ટમાં લડત આપી ખેડૂતના હિતમાં ચુકાદો આપવામાં આવેલ છે

હાલમાં મળી રહેલા માહિતી મુજબ મોરબીના ગોર ખીજડીયા ગામના રહેવાસી દેવુબેન હમીરભાઇ કડોતરાના પતિનુ અકસ્માતે મૃત્યુ થયું હતું અને તેનો વીમો સહકારી મંડળી દ્વારા ચોલા મંડલમ ઈન્સ્યુરન્સ કંપનીમાં લેવામાં આવ્યો હતો જો કે, વીમા કંપનીએ ડ્રાઇવીંગ લાયસન્સના બહાના હેઠળ વીમો ચુકવવાની ના પડી હતી જેથી દેવુબેને મોરબી શહેર અને જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતાનો સંપર્ક કર્યો હતો અને રાજકોટ જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં કેસ કર્યો હતો તે બન્ને કેસમાં રૂપિયા દશ લાખ નવ ટકાના વ્યાજ અને ખર્ચ સાથે ચુકવવાનો વીમા કંપનીને આદેશ કરેલ હતો. પરંતુ ચૌલા મંડલમ ઇન્સ્યુરન્સ કંપનીએ આ રકમ ચુકવેલ નહી અને ગ્રાહક અદાલત હાઇકોર્ટમાં અપીલમાં ગયેલ હતા અને કોર્ટે વીમા કંપનીની અપીલ કાઢી નાખી છે અને જે ચુકાદો આપવામાં આવેલ છે તેને માન્ય રાખવામા આવેલ છે જે વીમા કંપનીએ ૧૦ લાખ રૂપિયા ૯ ટકાના વ્યાજ સાથે તા.૧૬/૧૦/૧૯ થી ખર્ચ સાથે ચુકવવાનો આદેશ કરેલ છે આમ ખેડૂત પરિવાર સાથે વીમા કંપનીએ કરલે અન્યાય સામે કોર્ટે ન્યાય કરેલ છે






Latest News