મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં ગ્રાહક સુરક્ષા કોર્ટે ખેડૂત પરિવારને વીમા કંપનીએ કરેલ અન્યાય સામે કર્યો ન્યાય


SHARE







મોરબીમાં ગ્રાહક સુરક્ષા કોર્ટે ખેડૂત પરિવારને વીમા કંપનીએ કરેલ અન્યાય સામે કર્યો ન્યાય

મોરબીના ગોરખીજડીયા સહકારી મંડળીના સભ્યનો વીમો ઉતારનાર ચૌલા મંડલમ જનરલ ઈન્સ્યુરન્સ કંપનીએ વીમો આપવામાં બહાનું કાઢ્યું હતું અને ડ્રાઈવીંગ લાયસન્સના બહાને ખેડૂતનો વીમો આપવામાં આવ્યો ન હતો જેથી તેનો કેસ ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ચાલી ગયો હતો અને હાઇકોર્ટમાં લડત આપી ખેડૂતના હિતમાં ચુકાદો આપવામાં આવેલ છે

હાલમાં મળી રહેલા માહિતી મુજબ મોરબીના ગોર ખીજડીયા ગામના રહેવાસી દેવુબેન હમીરભાઇ કડોતરાના પતિનુ અકસ્માતે મૃત્યુ થયું હતું અને તેનો વીમો સહકારી મંડળી દ્વારા ચોલા મંડલમ ઈન્સ્યુરન્સ કંપનીમાં લેવામાં આવ્યો હતો જો કે, વીમા કંપનીએ ડ્રાઇવીંગ લાયસન્સના બહાના હેઠળ વીમો ચુકવવાની ના પડી હતી જેથી દેવુબેને મોરબી શહેર અને જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતાનો સંપર્ક કર્યો હતો અને રાજકોટ જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં કેસ કર્યો હતો તે બન્ને કેસમાં રૂપિયા દશ લાખ નવ ટકાના વ્યાજ અને ખર્ચ સાથે ચુકવવાનો વીમા કંપનીને આદેશ કરેલ હતો. પરંતુ ચૌલા મંડલમ ઇન્સ્યુરન્સ કંપનીએ આ રકમ ચુકવેલ નહી અને ગ્રાહક અદાલત હાઇકોર્ટમાં અપીલમાં ગયેલ હતા અને કોર્ટે વીમા કંપનીની અપીલ કાઢી નાખી છે અને જે ચુકાદો આપવામાં આવેલ છે તેને માન્ય રાખવામા આવેલ છે જે વીમા કંપનીએ ૧૦ લાખ રૂપિયા ૯ ટકાના વ્યાજ સાથે તા.૧૬/૧૦/૧૯ થી ખર્ચ સાથે ચુકવવાનો આદેશ કરેલ છે આમ ખેડૂત પરિવાર સાથે વીમા કંપનીએ કરલે અન્યાય સામે કોર્ટે ન્યાય કરેલ છે






Latest News