મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન
Breaking news
Morbi Today

વધુ એક કરોડોનું કેનમેલ.? : વાંકાનેર તાલુકા કો-ઓપરેટિવ પ્રોસેસિંગ સોસાયટી લી.ની કિંમતી જમીન પાણીના ભાવે ન આપવા સભ્યોની જિલ્લા રજીસ્ટ્રારને રજૂઆત


SHARE











વધુ એક કરોડોનું કેનમેલ.? : વાંકાનેર તાલુકા કો-ઓપરેટિવ પ્રોસેસિંગ સોસાયટી લી.ની કિંમતી જમીન પાણીના ભાવે ન આપવા સભ્યોની જિલ્લા રજીસ્ટ્રારને રજૂઆત

વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામના સરકારી ખરાબા સર્વે નંબર ૧૭૮ પૈકીની જમીન વાંકાનેર તાલુકા કો-ઓપરેટિવ પ્રોસેસિંગ સોસાયટી લી.ને ફાળવેલ છે જે જમીન  જમીન અંગે હ. બાલાપીર (ર.હે.) મોમિન બૈતુલમાલ ટ્રસ્ટે ખરીદી કરવા મંજૂરી માંગેલ છે જો કે, તે ટ્રસ્ટને ન આપવા માટેની રજૂઆત જિલ્લા રજીસ્ટ્રારને કરવામાં આવી છે. 

હાલમાં વાંકાનેર તાલુકા કો-ઓપરેટિવ પ્રોસેસિંગ સોસાયટી લી.ના સભ્યો રાજનભાઈ ચોથાભાઈ, જગદીશસિંહ ઝાલા અને કાંતિભાઈ છગનભાઇ દ્વારા જિલ્લા રજીસ્ટ્રારને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે જેમાં જણાવ્યુ છે કે, વાંકાનેર તાલુકા કો-ઓપરેટિવ પ્રોસેસિંગ સોસાયટી લી. ની જમીન વાંકાનરે તાલુકાના ચંદ્રપુર ગામે ખરાબા સર્વે નંબર ૧૭૮ પૈકી કરોડો રૂપિયાની કીમતી જમીન આવેલ છે તે લેવા માટેની હ. બાલાપીર (ર.હે.) મોમિન બૈતુલમાલ ટ્રસ્ટે મંજૂરી માંગેલ છે જો કે, આ જમીન ખુબજ કીમતી છે માટે વાંકાનેર તાલુકા કો-ઓપરેટિવ પ્રોસેસિંગ સોસાયટી લી. ના સભ્યો આ સભ્યો દ્વારા આ જમીન પાણીના ભાવે ન આપવા માટેની રજૂઆત કરવામાં આવી છે.

અત્રે ઉલેખનીય છે કે, આ જમીનની બજાર કિમત આશરે ૧ વીઘાના દોઢ કરોડ કરતાં પણ વાધારે છે ત્યારે આ જમીન કોઈ ટ્રસ્ટને સાવ પાણીના ભાવે આપી દેવી તે વાંકાનેર તાલુકા કો-ઓપરેટિવ પ્રોસેસિંગ સોસાયટી લી. ના સભ્યો તરીકે હિતાવહ દેખાતું નથી અને હ. બાલાપીર (ર.હે.) મોમિન બૈતુલમાલ ટ્રસ્ટએ એક સેવાકીય પ્રવૃતિ કરતું ટ્રસ્ટ છે તો વાંકાનેર દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત એન.આર. દોશી આંખ હોસ્પિટલ, બંધુસમાજ હોસ્પિટલ જેવી સંસ્થાઓ પણ સેવાકીય પ્રવૃતિ હેતુથી કાર્યરત છે. અને વાંકાનેર તાલુકા કો-ઓપરેટિવ પ્રોસેસિંગ સોસાયટી લી. ની છેલ્લે મળેલ સામાન્ય સભામાં આ મુદાનો એજન્ડા ચર્ચા-વિચારણા કરવા બાબતે લેવામાં આવેલ છે. ત્યારે માત્ર પ્રમુખના કબૂલાતનામાં પ્રમાણે આ જમીન હ. બાલાપીર (ર.હે.) મોમિન બૈતુલમાલ ટ્રસ્ટને પોતાના આર્થિક ઉપાર્જન માટે આપવીએ યોગ્ય જણાતી નથી તેવું રજૂઆતમાં લખવામાં આવેલ છે.






Latest News