મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં પત્ની રિસામણે ગયા બાદ પરત ન આવતા લાગી આવતા યુવાને ભર્યુ અંતિમ પગલું : મોત


SHARE







મોરબીમાં પત્ની રિસામણે ગયા બાદ પરત ન આવતા લાગી આવતા યુવાને ભર્યુ અંતિમ પગલું : મોત

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં માળિયા ફાટક નજીક રહેતા યુવાનના પત્ની છેલ્લા કેટલાક સમયથી રીસામણે ગયા હોય અને પરત આવેલ ન હોય તે બાબતનું મનોમન લાગી આવતા યુવાને તેના ઘરે ગળેફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને યુવાનનું મોત નીપજત્તા હાલ સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા આ અંગે નોંધ કરી આગળની તપાસ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળેલ છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર પાસેથી મળતી માહીતી મુજબ મોરબીના સામાકાંઠે માળિયા ફાટક નજીક આવેલ કાંતિનગર વિસ્તારમાં રહેતા રાજુભાઈ જગાભાઈ બાબરીયા જાતે કોળી નામના ૩૮ વર્ષના યુવાને તેના ઘરે ગળેફાંસો ખાઈ લીધો હતો જેથી તેના ડેડબોડીને પીએમ માટે અત્રેની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યુ હતુ.બનાવને પગલે પોલીસે કરેલ તપાસમાં સામે આવ્યું હતું કે મૃતક રાજુભાઈ કોળી છૂટક મજૂરી કરી પરીવારનું ગુજરાત ચલાવતા હતા અને દરમિયાનમાં તેમના પત્ની કોઈ બાબતે તેમના માવતરે રિસામણે ચાલ્યા ગયા હોય અને પરત આવ્યા ન હોય તે બાબતનું મનમાં માઠપ લાગી આવવાથી રાજુભાઈ બાબરીયાએ અંતિમ પગલું ભરી લીધું હતું અને જેના પગલે તેમનું મોત નિપજતા પરિવારમાં શોક વ્યાપી ગયો હતો.

હાર્ટ એટેકના લીધે મોત

મોરબીના સામાકાંઠે આવેલ વૃંદાવન પાર્ક વિસ્તારમાં રહેતા રાજેશભાઈ મનસુખભાઈ ગોવાણી નામના ૫૭ વર્ષના આધેડ રાત્રિના સુતા હતા તે દરમિયાનમાં સવારે ઊઠ્યા ન હતા અને તેમના મૃતદેહને સિવિલે ખસેડવામાં આવ્યો હતો ઉપરોક્ત બનાવ સંદર્ભે હોસ્પિટલ સુત્રો દ્વારા સીટી બી ડિવિઝન પોલીસમાં જાણ કરાતા બી ડિવિઝન પોલીસ મથકના જે.જે.ડાંગર દ્વારા તપાસ કરવામાં આવી હતી અને હાર્ટ એટેકના લીધે રાજેશભાઈ ગોવાણીનું નિંદ્રાધીન અવસ્થામાં જ મૃત્યુ નીપજયુ હોવાનું હાલ પ્રાથમિક તપાસમાં સામે આવેલ છે.

બાઈક સ્લીપ થતા ઇજા

મોરબીના માળિયા મીંયાણા તાલુકામાં આવેલા કાજરડા વિસ્તારમાં રહેતા વલીમામદભાઈ દાઉદભાઈ ભટ્ટી નામના ૫૨ વર્ષના આધેડને ઇજાગ્રસ્ત હાલતમાં અત્રેની સદભાવના હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા બનાવ સંદર્ભે તાલુકા પોલીસને જાણ કરાતા તાલુકા પોલીસ મથકના જે.બી.પરમાર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને તેમાં ખુલ્યું હતું કે વલીમામદભાઈ ભટ્ટી બાઈક લઈને જતા હતા ત્યારે મોરબી તાલુકાના સોખડા અને નાગડાવાસ ગામની વચ્ચે હાઇવે ઉપર રસ્તામાં તેઓનું બાઈક અકસ્માતે સ્લીપ થઈ જતા ઇજા પામતા તેમને હાલ સારવાર માટે લાવવામાં આવ્યા છે.






Latest News