મોરબીમાં બાવા અહેમદશાની મસ્જિદ ખાતે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાને સક્ષમ શાળા તેમજ હરીત વિદ્યાલય એવોર્ડ એનાયત મોરબીમાં જૂની અદાવતનું મનદુખ રાખીને બે શખ્સોએ છરી-ધારિયા વડે યુવાન ઉપર કર્યો હુમલો મોરબીમાં મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક નિમિતે ભવ્ય શોભાયાત્રા યોજાઇ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે યુવાનની હત્યાનો પ્રયાસ કરનારા આરોપીના ઘરમાંથી એક પિસ્તોલ-નવ જીવતા કાર્ટિઝ ઝડપાયા, વધુ એક ગુનો નોંધાયો મોરબીના ખેવારીયા ગામે વાડીએ ઇલેક્ટ્રીક શોટ લાગતા 16 વર્ષના બાળકનું મોત મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું
Breaking news
Morbi Today

ટંકારાની પોલીસે માર માર્યો હોવાની આરોપીઓએ મોરબીની કોર્ટમાં કરી ફરિયાદ: વકીલે આપી કોર્ટ ઓફ કોન્ટેમ્પટની અરજી


SHARE











ટંકારાની પોલીસે માર માર્યો હોવાની આરોપીઓએ મોરબીની કોર્ટમાં કરી ફરિયાદ: વકીલે આપી કોર્ટ ઓફ કોન્ટેમ્પટની અરજી


ટંકારા કોર્ટના જજ રજા ઉપર હોવાથી ટંકારા તાલુકાનાં ગામડામાં થયેલ મારામારીના ગુનામાં પકડેલા આરોપીઓનું પ્રોડક્શન મોરબીની કોર્ટમાં કરવામાં આવ્યું હતું ત્યારે આરોપીઓએ પોલીસે તેને માર માર્યો હોવાની ફરિયાદ કરતા જજે આરોપીઓને મેડિકલ ટેસ્ટ માટે મોકલ્યા હતા અને ત્યારબાદ વકીલ મારફતે ટંકારા પોલીસે સુપ્રીમ કોર્ટના જજમેન્ટનું ઉલંઘન કરીને કોર્ટ ઓફ કોન્ટેમ્પટ કરવામાં આવ્યું હોવાની અરજી આપવામાં આવી હોવાનું જાણવા મળેલ છે. 

ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં અગાઉ થયેલ મારામારીના ગુનામાં પકડાયેલા આરોપીને ટંકારાની કોર્ટમાં જજ રજા ઉપર હોવાથી મોરબીમાં લાલબાગમાં આવેલ પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજની કોર્ટમાં તેનું પ્રોડક્શન કરવામાં આવ્યું હતું અને ત્યારે ટંકારા પોલીસ દ્વારા મારામારીના ગુનામાં પકડાયેલા આરોપીઓને માર મારવામાં આવ્યો હોવા અંગેની આરોપીઓ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી જેથી જજ દ્વારા આરોપીઓને મેડિકલ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા હતા અને ત્યારબાદ વકીલ જે.પી.પાંચોટિયા દ્વારા ટંકારા પોલીસ દ્વારા સુપ્રીમ કોર્ટના જજમેન્ટનું ઉલંઘન કરવામાં આવ્યું છે અને કોર્ટ ઓફ કન્ટેમ્પટ કરેલ છે તેવી અરજી આપવામાં આવી છે.

વધુમાં વકીલ પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે જે ગુનામાં સાત વર્ષથી ઓછી સજા હોય તેમાં પોલીસ સ્ટેશનથી જામીન આપી દેવા અને જો આરોપીને પકડવાનો હોય તો સીઆરપીસી ૪૧ મુજબ નોટિસ દેવી અને અટકના કારણો રજૂ કર્યા બાદ તેને ધરપકડ કરી શકાય છે જોકે ટંકારા પોલીસે આવું કશું જ કર્યું નથી અને મારામારીના ગુનામાં આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા હતા. આટલું ઓછું હોય જે આરોપીઓને પોલીસ દ્વારા પકડવામાં આવ્યા હતા અને મોરબીની પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજની કોર્ટમાં પ્રોડક્શન માટે રજૂ કરવામાં આવ્યા હતા તે ચાર પૈકીનો એક આરોપી સગીર હોવાનું કોર્ટમાં સામે આવતા તેને જુવેનાઇલ જસ્ટિસ કોર્ટમાં લઈ જવામાં આવ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસે જે આરોપીની ધરપકડ કરી તેને કોર્ટમાં પ્રોડક્શન માટે લઈને આવવામાં આવ્યા હતા તેમાં સગીર છે તેની પણ પોલીસને કેમ જાણ ન હતી ? તે પણ એક તપાસનો વિષય છે.






Latest News