વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન મોરબીમાં પિતાની પુણ્યતિથિએ દીકરીએ કર્યું રક્તદાન કેમ્પનું આયોજન મોરબીમાં 25 લાખ માટે સીરામીક ઉદ્યોગપતિ અને તેના મિત્ર ઉપર જીવલેણ હુમલો કરનારા અજયભાઈ લોરીયાની ધરપકડ: ગાડી, ધોકો, કપડાં, મોબાઈલ કબ્જે કરતી પોલીસે પ્રાથમિક શિક્ષક વીણાબેન દલસાણિયા (દેસાઈ) એ મોરબીને રાજયકક્ષાએ ગૌરવ અપાવ્યું મોરબીમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભવ્યાતી ભવ્ય ઉજવણી વાંકાનેર બાઉન્ડ્રી પાસે બાવળની જાળીમાં રૂપિયા માટે મિત્રની હત્યા કરનારા આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા મોરબીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિના લીધે જિલ્લા કોંગ્રેસના મહામંત્રીને હોદા ઉપરથી સસ્પેન્ડ કરતાં જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ સામે સોશ્યલ મીડિયામાં વોર શરૂ ! તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ
Breaking news
Morbi Today

મોરબીમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણ વચ્ચે એસપીની હાજરીમાં પોલીસનું ટ્રાફિક માટે કોમ્બિંગ !


SHARE











મોરબીમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણ વચ્ચે એસપીની હાજરીમાં પોલીસનું ટ્રાફિક માટે કોમ્બિંગ !

મોરબીમાં ટ્રાફિક માટે કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે લોકોને એવી આશા હોય છે કે, વર્ષોથી મોરબીના રોડ રસ્તા ઉપર આડેધડ લારી, ગલ્લા અને પાથરણાના દબાણ થઈ ગયેલ છે તેને દૂર કરવા માટેની પોલીસ દ્વારા કામગીરી કરીને લોકો તેના વાહનોને યોગ્ય રીતે પાર્ક કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે જો કે, આવું કશું જ મોરબીમાં કરવામાં આવતું નથી કેમ કે, અત્યાર સુધીમાં એસપી રાજયલ ત્રિપાઠીની હાજરીમાં બે વખત મોરબીના જુદાજુદા વિસ્તારમાં કોમ્બિંગ કરવામાં આવ્યું છે અને ત્યારે ટ્રાફિકને નડતરરૂપ હોય તેવા લારી, ગલ્લા અને પાથરણાના દબાણને દૂર કરવામાં આવતા નથી જેથી કરીને પોલીસ દ્વારા ટ્રાફિક માટે જે કોમ્બિંગ કરવામાં આવે છે તેનુ પરિણામ શું તે સવાલ ઊભો થઈ રહ્યો છે ગઇકાલે મોરબીના શનાળા રોડે આવેલ પોલીસ ચોકીથી લઈ મચ્છીપીઠ સુધી કોમ્બિંગ કરવામાં આવ્યું હતું ત્યારે આડેધડ પાર્ક કરાયેલ વાહન સામે કાર્યવાહી પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવી તે સારી બાબત છે જો કે, વાહનો પાર્ક કરવાની જગ્યાએ ગોઠવી દેવામાં આવેલ લારી, ગલ્લા અને પાથરણાના દબાણ એસપી કે પછી બીજા કોઈ પણ અધિકારીને કેમ દેખાયા નહીં તે તપાસનો વિષય છે જો ૧૫૦ જેટલા પોલીસ જવાનો હાજર હોય તો પણ મોરબીના મુખ્ય માર્ગ ઉપરથી એક પણ લારી, ગલ્લા કે પાથરણાનું દબાણ દૂર કરવામાં ન આવે તો શું મોરબીના આ દબાણોને દૂર કરવા માટે આર્મીની મદદ લેવી પડશે તે સવાલ ઉઠી રહ્યો છે






Latest News