વાંકાનેર બાઉન્ડ્રી પાસે બાવળની જાળીમાં રૂપિયા માટે મિત્રની હત્યા કરનારા આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા મોરબીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિના લીધે જિલ્લા કોંગ્રેસના મહામંત્રીને હોદા ઉપરથી સસ્પેન્ડ કરતાં જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ સામે સોશ્યલ મીડિયામાં વોર શરૂ ! તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબીમાં બહેન-દીકરીઓની સલામતી માટે યોગ્ય કાર્યવાહી ન થાય તો આંદોલન-ધરણાની ચિમકી


SHARE











મોરબીમાં બહેન-દીકરીઓની સલામતી માટે યોગ્ય કાર્યવાહી ન થાય તો આંદોલન-ધરણાની ચિમકી

મોરબી અનુ.જાતિ પ્રતિનિધિ મંડળના ગૌતમભાઈ મકવાણા સહિતનાઑ દ્વારા જિલ્લાના કલેક્ટર મારફતે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને લેખિત રજુઆત કરવામાં આવી છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી જિલ્લામાં કાયદો વ્યવસ્થા કથડી ગયેલ છે અને જિલ્લામાં બહેન-દિકરીની સલામતી રહી નથી. હાલ મોરબી જિલ્લામાં છાસવારે દુષ્કર્મ જેવા બનાવો બની રહ્યા છે. સગીરવયની દિકરીઓ આવારાતત્વો દ્વારા અપહરણ તથા શોષણ થાય છે. આવા ગંભીર બનાવોની ફરિયાદ દાખલ કરવા પણ સામાજિક આગેવાનો ગયા પછી ફરિયાદ નોંધવામાં આવે છે. તથા પીડિત પરિવારો સાથે ઉઘતાનભર્યા વર્તન કરવામાં આવે છે. ગુજરાત સરકારના સુત્ર બેટી બચાવો બેટી પઢાવોની વાતો કરે છે તેના મોરબી જિલ્લામાં લીરેલીરા ઉડી રહ્યા છે.

વધુમાં જવાબદાર અધિકારી તથા ચૂંટાયેલ પ્રતિનિધ સામે આક્ષેપ કર્યા કહ્યું છે કે, મોરબી જિલ્લામાં એક મહિનામાં સમાજ માટે ચિંતાજનક કહી શકાય તેવા ઘણા બનાવો બનેલ છે તો પણ જવાબદાર અધિકારી માત્ર કાગળો પર કામ કરી પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યા છે ત્યારે અધિકારી તથા ચૂંટાયેલ પ્રતિનિધ દ્વારા દુષ્કર્મ, સગીરવયની દિકરીઓના શોષણ બાબતે કોઈ ગંભીરતા દર્શાવવામાં આવતી નથી. મોરબી જિલ્લાની બહેન-દિકરી સલામતી માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને જો માંગણીને સંતોષવામાં નહિ આવે તો સામાજિક આગેવાનો પીડિત પરિવારને સાથે રાખી ગાંધી ચિધ્યામાર્ગે આંદોલન અને ધરણા કરશે તેવી ચિમકી ઉચ્ચારી હતી






Latest News