મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના નવા બસ સ્ટેશનનું ગુરૂવારે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી કરશે લોકાર્પણ


SHARE











મોરબીના નવા બસ સ્ટેશનનું ગુરૂવારે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી કરશે લોકાર્પણ

મોરબી શહેરના સનાળા રોડ ઉપર નવા બસ સ્ટેશનને સાડા પાંચ કરોડના ખર્ચે નવું બનાવવામાં આવ્યું છે જોકે, તેના લોકાર્પણને લઈને છેલ્લા ઘણા સમયથી અવઢવ અને ચર્ચાઓ ચાલી રહી હતી તેવામાં બે દિવસ પહેલા કોંગ્રેસ દ્વારા ધરાહારના ધોરણે આ બસ સ્ટેશનનું લોકાર્પણ કરવા માટેનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો ત્યારે અધિકારી સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે આગામી ગુરુવારે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ નવા બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવશે

રાજ્યભરમાં મુસાફરોને સારી સુવિધા મળે તેના માટે થઈને સરકાર દ્વારા જુના બસ સ્ટેશન પાડીને તેની જગ્યાએ નવા અદ્યતન સુવિધા સાથેના બસ સ્ટેશનનો બનાવવામાં આવી રહ્યા છે તેવી જ રીતે મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ નવા બસ સ્ટેશનને પાડીને તે જગ્યાએ સાડા પાંચ કરોડના ખર્ચે નવું બસ પોર્ટ બનાવવામાં આવ્યું છે અને આ બસ પોર્ટની કામગીરી છેલ્લા ઘણા સમયથી પૂર્ણ થઈ ગઈ હતી જોકે તેનું લોકાર્પણ કરવામાં આવતું ન હતું જેથી કરીને તેને તાત્કાલિક લોકો માટે ખુલ્લો મુકવામાં આવે તેવી માંગણી પણ કરવામાં આવી હતી જોકે તેને ખુલ્લુ મુકવામાં આવ્યું ન હતું

જેથી કરીને ગત શનિવારના રોજ મોરબી જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકરો દ્વારા સનાળા રોડ ઉપર નવું બનાવવામાં આવેલ બસ સ્ટેશન ધરાહારના ધોરણે ખુલ્લું મુકવા માટેનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો અને ત્યારે નવા બસ સ્ટેશનના પટાંગણમાં નારીયલ વધારીને તેને ખુલ્લુ મુકાયું હતું જો કે, કોંગ્રેસના આગેવાનો દ્વારા રીબીન કાપવામાં આવે ત્યારે પહેલા તેની અટકાયત કરી લેવામાં આવી હતી અને હાલમાં એસટી વિભાગના અધિકારી સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ આગામી તા. ૧૮/૫ ને ગુરુવારના રોજ સવારે ૧૦:૩૦ વાગ્યે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં મોરબી શહેરના નવા બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવશે






Latest News