મોરબી શહેરમાં આવેલ જીલ્લા પંચાયત હસ્તકની પ્રથામિક શાળાઓ મહાપાલીકા હસ્તક લેવા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખની માંગ મોરબી જુના અમરાપર શાળામાં વિધાર્થીઓને સરગવાના વૃક્ષો આપી શાળા પ્રવેશ આપ્યો મોરબીના પીપળી ગામે બે કલાકમાં 155 વૃક્ષોનું રોપણ કરાયું મોરબીમાં પીજીવીસીએલ દ્વારા સલામતી સપ્તાહની ઉજવણી કરાશે માળિયા (મી)માં ધો. ૯ ના વિદ્યાર્થીઓના પ્રવેશ પ્રશ્ન બાબતે પાલિકા પ્રમુખની રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ફ્લાયઓવર બ્રિજની કામગીરીની મુલાકાત લેતા કલેક્ટર સ્વપ્નિલ ખરે જો 48 કલાકમાં મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનનો નિર્ણય ન આવે તો આંદરણા ગ્રામ પંચાયતની બોડી મૂકશે સામૂહિક રાજીનામુ ચોમાસુ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર: હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી સિંચાઈનું પાણી આપવા માટે 7 ગામના ખેડૂતોની માંગ
Breaking news
Morbi Today

મોરબીના ખાનપર ગામે વાડીમાં આધેડે આત્યાંતિક પગલું ભરી લેતા મોત : ડીકમ્પોઝ બોડી રાજકોટ ખસેડાયું


SHARE









મોરબીના ખાનપર ગામે વાડીમાં આધેડે આત્યાંતિક પગલું ભરી લેતા મોત : ડીકમ્પોઝ બોડી રાજકોટ ખસેડાયું 

મોરબી તાલુકાના ખાનપર ગામની સીમમાં વાડીએ આવેલ ઓરડીમાં આધેડે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા જોકે બોડી ડીકોમ્પોઝ થઈ ગઈ હોવાથી તેને ફોરેન્સિક પીએમ માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકાના ખાનપર ગામે આવેલ વાડીની ઓરડીમાં કોઈપણ કારણોસર ખાનપર ગામે રહેતા રામજીભાઈ સવજીભાઈ રાઠોડ જાતે કોળી (૫૦) એ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને મૃતકની ડેડબોડી ડી કમ્પોઝ થઈ ગઈ હોવાથી તેને ફોરેન્સિક પીએમ માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હોવાનું જાણવા મળેલ છે અને આપઘાતના આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. એન.જે. ખડિયા ચલાવી રહ્યા હોવાનું જાણવા મળેલ છે વધુમાં જાણવા મળતી વિગત પ્રમાણે મૃતકે આપઘાત શા માટે થઈને કર્યો છે તે દિશામાં હાલમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

બીમારી સબબ મોત

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ યદુનંદન ગૌ સેવા ટ્રસ્ટ સંચાલિત માનવસેવા આશ્રમ ખાતે બે દિવસ પહેલા બીમાર હાલતમાં લઈ આવેલ નિરાધાર રામચરણપાલ રામરતનપાલ (૬૫) નામના વૃદ્ધ બીમારી સબબ મૃત્યુ પામતા તેઓના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.






Latest News