હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેર: મામાના દીકરાના લગ્નમાં જવા નીકળેલા બે પિતરાઇને નડ્યો અકસ્માત, એકનું મોત-એક સારવારમાં


SHARE











વાંકાનેર: મામાના દીકરાના લગ્નમાં જવા નીકળેલા બે પિતરાઇને નડ્યો અકસ્માત, એકનું મોત-એક સારવારમાં

વાંકાનેર તાલુકાના કોટડા નાયાણી ગામે રહેતો યુવાન તેના માસીના દીકરા સાથે બાઈકમાં તરણેતર ગામે સમૂહલગ્નમાં તેના મામાના દીકરાના લગ્ન હોવાથી ત્યાં જઈ રહ્યો હતો દરમિયાન દલડીથી કાછિયાગાળા વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં આઇસર ચાલકે બાઇકને હડફેટે લેતા બાઈક ચાલકને ગંભીર ઈજા થઈ હોવાથી તેનું મોત નીપજયું હતું અને ફરિયાદી યુવાનને ઇજા થઈ હોવાથી તેને સારવારમાં રાજકોટ લઈને ગયા હતા ત્યાં સારવાર લીધા બાદ તેણે આઇસરના ચાલક સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેર તાલુકાના કોટડાનાયાણી ગામે રહેતા અજયભાઈ અશોકભાઈ ગોરીયા જાતે કોળી (૧૯)એ હાલમાં આઇસર નંબર જીજે ૬ બીવી ૩૫૭૯ ના ચાલકની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ફરિયાદી તેના માસીના દીકરા વિજયભાઈ મનસુખભાઈ ધરજીયા રહે. જોધપર ખારી વાળાની સાથે તેના બાઈક નંબર જીજે ૩ એચએમ ૬૩૬૧ માં દીધેલીયાથી તરણેતર ગામ જવા માટે રવાના થયા હતા ત્યારે દલડી થી કાછિયાગાળા વચ્ચે આઇસરના ચાલકે તેઓના બાઇકને હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં બાઇક ચાલક વિજયભાઈ ધરજીયાને ગંભીર ઇજા થઈ હોવાથી તેનું સ્થળ ઉપર જ મૃત્યુ નીપજ્યું હતું અને બાઈકમાં પાછળ બેઠેલ ફરિયાદીને ગંભીર થયું હોવાથી તેણે પોતાના પરિવારજનોને જાણ કરતા તેના પિતા અશોકભાઈ ગોરીયા અને તેના મામા ત્યાં આવ્યા હતા અને તેને રાજકોટની ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઈ ગયા હતા અને આ યુવાનને માથામાં સાત અને હોઠે ત્રણ ટાંકા આવ્યા છે જો કે, સારવાર લીધા બાદ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આઇસરના ચાલક સામે યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આઈસર ચાલકને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરી છે






Latest News