મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં અર્પિત આરાધ્યા સખી મંડળ દ્વારા ખાખરાનો ગૃહ ઉદ્યોગ શરૂ કરાશે


SHARE











મોરબીમાં અર્પિત આરાધ્યા સખી મંડળ દ્વારા ખાખરાનો ગૃહ ઉદ્યોગ શરૂ કરાશે

મોરબી અર્પિત આરાધ્યા સખી મંડળ દ્વારા એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે અને ખાખરા બનાવવાનો ગૃહ ઉદ્યોગ શરૂ કરવામાં આવનાર છે જેમાં હાથ વણાટના શુદ્ધ અને સાત્વિક ખાખરા બનાવામાં આવી રહ્યા છે

મોરબીમાં આર્થિક રીતે પછાત અને જરૂરિયાતમંદ સ્ત્રીઓને કોઈની પાસે હાથ લાંબો ન કરવો પડે અને સ્વમાન ભેર  જીવે તે માટે આ ઉદ્યોગનુ આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં ઓછી ભણેલી કે સાવ અભણ મહિલાને પગભાર કરવા માટે આ મંડળની રચના કરવામાં આવી રહી છે અત્યારે ૧૨ બહેનો રોજીરોટી મેળવે છે પરંતુ ભવિષ્યમાં ૫૦૦ બહેનોને રોજીરોટી આપવાનું આ સખીમંડળનુ લક્ષ્ય છે આ સખી મંડળમાં પ્રમુખ રંજનબેન, કાજલબેન, નયનાબેન બારા સહિતના જોડાયેલ છે આગામી તા ૧૧/૫ ને ગુરુવારના રોજ ૩:૩૦ થી આ કામો શુભારંભ કરશે અને અર્પિત મહિલા ટ્રસ્ટ, હાઉસિંગ બોર્ડ શનાળા રોડ મોરબી ખાતે આ ગૃહ ઉદ્યોગ શરૂ કરવામાં આવશે

ઔદીચ્ય વિધોતેજક મંડળની સામાન્ય સભા
મોરબી ઔદીચ્ય વિદ્યોત્તેજક મંડળની કારોબારી બેઠક મળી હતી. જેમાં સામાન્ય સભા તા.૧૩ મી મે ને શનિવારના રોજ દવે પંચોલી વિદ્યાર્થી ભુવન, શનાળા રોડ ખાતે સાંજે ૫ કલાકે રાખવામા આવેલ છે ત્યારે મોરબીના શાસ્ત્રી વિપુલભાઈ શુક્લનું જ્ઞાતિવિશેષ તરીકે આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવશે






Latest News