મોરબીના ખાખરાળાનું ખમીર: ડાંગર કુળની અમર શૌર્યગાથા અને ભવ્ય સુરપુરા ધામ પાળીયાનો પ્રતિમા પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હળવદના સુંદરગઢ ગામે આવેલ પેટ્રોલ પંપે ડીઝલ લેવા ખેડૂતોએ કેરબાની લાઈનો લગાવી મોરબી :પુરુષોત્તમ માસ સ્પેશ્યિલ બાળકો માટે ઓનલાઇન કેમ્પ તદ્દન ફ્રી, બાળકના હૃદયને કૃષ્ણના પ્રેમ અને જ્ઞાનથી ખીલવા દો નીટનું પેપર ફૂટવા મુદે કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ સાથે મોરબી જિલ્લા કોંગ્રેસ-યૂથ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન મોરબીમાં ત્રણ રેડમાં દારૂની નવ બોટલ ઝડપાઇ, 200 લિટર દારૂ સાથે 3 પકડાયા: માળિયામાંથી 800 લિટર આથો ઝડપાયો વાંકાનેરના દલડી ગામ પાસે અગાઉની બોલાચાલીનો ખાર રાખીને આધેડને બે શખ્સોએ લાકડાના ધોકાથી માર માર્યો મોરબીના બેલા ગામ પાસે સીરામીક કારખાના ક્વાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાનનો આપઘાત મોરબી સમસ્ત જૈન મહિલા મંડળોનો ઋષભ પ્રશ્નમંચ યોજાયો, પૌષધ શાળાના ભાવના મંડળની ટીમ પ્રથમ
Breaking news
Morbi Today

મોરબીમાં પ્રસંગમાં ગયેલા પરિવારના બંગલામાંથી સોનાના દાગીના-રોકડા મળીને ૭૫ લાખથી વધુના મુદામાલની ચોરી


SHARE











મોરબીમાં પ્રસંગમાં ગયેલા પરિવારના બંગલામાંથી સોનાના દાગીના-રોકડા મળીને ૭૫ લાખથી વધુના મુદામાલની ચોરી

મોરબીના કાયાજી પ્લોટ વિસ્તારમાં રહેતો પરિવાર રાજકોટમાં પ્રસંગ હોવાથી ત્યાં ગયો હતો અને તેઓનું ઘર બંધ હતું દરમિયાન તેના ઘરમાંથી ૧૧૦૦ ગ્રામ સોનાના દાગીના તથા રોકડા ૧૫ લાખ રૂપિયાના મુદ્દામાલની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા પરિવાર દ્વારા આ બનાવ અંગેની મોરબી સીટી એ ડિવિઝન પોલીસે જાણ કરવામાં આવતા પોલીસ સ્ટેશનના પીઆઇ, ડીવાયએસપી સહિતનો કાફલો ઘટના પહોંચ્યો હતો અને ચોરીની ઘટનાનો ભેદ ઉકેલવા માટે હાલમાં સીસીટીવી ફૂટેજ મેળવવા માટેની કામગીરી ચાલી રહી છે અને આરોપી સુધી પહોંચવા માટેના પ્રયત્નો પોલીસ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલ છે

બનાવી જાણવા મળતી માહિતી મુજબ મોરબીના સનાળા રોડ ઉપર આવેલ કાયાજી પ્લોટમાં નગરપાલિકાના કોમ્યુનિટી હોલની બાજુમાં રહેતા હિમાંશુભાઈ ચંડીભમ્મરના મકાનને તસ્કર દ્વારા નિશાન બનાવવા આવ્યું છે અને તેના ઘરમાંથી રોકડા રૂપિયા ૧૫ લાખ તથા ૧૧૦૦ ગ્રામ સોનાના દાગીના ચોરી કરવામાં આવી છે જેથી ભોગ બનેલા પરિવાર દ્વારા આ અંગેની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

વધુમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે હિમાંશુભાઈ ચંડીભમ્મરનો પરિવાર રાજકોટમાં લગ્ન પ્રસંગ હોવાથી ત્યાં જવા માટે નીકળ્યો હતો અને ત્યારે તેઓ સોનાના દાગીના ઘરે ભૂલી ગયા હતા દરમ્યાન તસ્કર દ્વારા તેના ઘરને નિશાન બનાવવામાં આવતા તેના ઘરમાંથી સોનાના દાગીના તથા રોકડા રૂપિયાની ચોરી થયેલ છે અને ચોરીની ઘટના બની ત્યારથી તેઓને ત્યાં કામ કરતો બહાદુર અને તેની પત્ની હાજર ન હોવાથી હાલમાં તે પણ શંકાના દાયરામાં છે અને પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવવા માટેના પ્રયત્નો શરૂ કર્યા છે અને આરોપીને પકડવા માટે એલસીબી, સ્થાનિક પોલીસ વિગેરેની જુદી જુદી ટીમો બનાવીને તપાસ શરૂ કરવામાં આવી છે






Latest News