મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં નવા બસ સ્ટેશનનું લોકાર્પણ કરવા તંત્રને કોંગ્રેની એક સપ્તાહનું અલ્ટિમેટમ


SHARE







મોરબીમાં નવા બસ સ્ટેશનનું લોકાર્પણ કરવા તંત્રને કોંગ્રેની એક સપ્તાહનું અલ્ટિમેટમ

મોરબીમાં નવા બસસ્ટેન્ડનું કામ પૂરું થઈ ગયું છે તેઓ પણ તેને લોકાર્પણ કરવામાં આવતું નથી જેથી કરીને મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને આગામી એક સપ્તાહમાં જો નવા બસસ્ટેન્ડનું લોકાર્પણ તંત્ર દ્વારા નહીં કરવામાં આવે તો કોંગ્રેસ દ્વારા આ બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે અને મોરબીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખાડે ગયેલ છે ત્યારે મોરબી જિલ્લામકડક અધિકારીને મૂકવામાં આવે અને ગુનેગારોને કાયદાનું ભાન કરાવવામાં આવે તેવું માંગ કરી છે તે ઉપરાંત રાજ્યના બહુચર્ચિત ડમી કાંડ મામલે યુવા નેતા યુવરાજસિંહ જાડેજા વિરુદ્ધ ઉલ્ટા જે કાર્યવાહી કરવામાં આવે છે તે બંધ કરીને જે લોકો ખરેખર ગુનેગાર છે તેની સામે કાયવાહી કરવામાં આવે તેવી માંગ કરેલ છે આ તકે મોરબી જિલ્લા કોંગ્રેસનાં મહામંત્રી મહેશભાઇ રાજ્યગુરુ, મોરબી તાલુકા કોંગ્રેસનાં પ્રમુખ કે.ડી. પડસુંબિયા, રાજુભાઇ આહીર, એલ.એમ. કંઝારીયા, કે.ડી. બાવરવા, દેવેન્દ્રસિંહ જાડેજા, ટીનાભાઇ પટેલ, ચિરાગભાઈ રાચ્છ, બાબુભાઇ વેરાણા, દીપકભાઈ પરમાર સહિતના કોંગ્રેસનાં આગેવાનો હાજર રહ્યા હતા






Latest News