મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ખવાસ રજપૂત સમાજની વાડીએ આયુષ્યમાન કાર્ડ માટે કેમ્પ યોજાશે


SHARE







વાંકાનેરમાં ખવાસ રજપૂત સમાજની વાડીએ આયુષ્યમાન કાર્ડ માટે કેમ્પ યોજાશે

મોરબીના દેશળ દેવ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી મોરબી જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા વાંકાનેરમાં સમસ્ત ખવાસ રજપૂત સમાજ માટે આયુષમાન કાર્ડના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે

મોરબી જીલ્લામાં જુદાજુદા વિસ્તારમાં આયુષમાન કાર્ડના કેમ્પનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે વાંકાનેરમાં સમસ્ત ખવાસ રજપૂત સમાજ માટે આયુષમાન કાર્ડના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને જ્ઞાતિબંધુઓ તેમજ અન્ય સમાજના જરુરિયાતમંદ પરિવાર માટે તા. ૩/૫ ને બુધવારે સવારે ૧૦ થી ૨ વાગ્યા સુધી વાંકાનેરમાં આવેલ ખવાસ રજપૂત સમાજની વાડી, રામજી મંદિર, રામ ચોક ખાતે નિ:શુલ્ક આયુષ્યમાન ભારત કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહેશે અને આયુષ્યમાન કાર્ડ માટે જરૂરી ડોક્યુમેન્ટમાં ૨૦૨૨ પછીનો મામલતદાર કચેરીનો આવકનો દાખલો, રેશનકાર્ડ તેમજ આધારકાર્ડ સાથે રાખવા આયોજકોએ જણાવ્યુ છે.






Latest News