મોરબી શહેરમાં આવેલ જીલ્લા પંચાયત હસ્તકની પ્રથામિક શાળાઓ મહાપાલીકા હસ્તક લેવા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખની માંગ મોરબી જુના અમરાપર શાળામાં વિધાર્થીઓને સરગવાના વૃક્ષો આપી શાળા પ્રવેશ આપ્યો મોરબીના પીપળી ગામે બે કલાકમાં 155 વૃક્ષોનું રોપણ કરાયું મોરબીમાં પીજીવીસીએલ દ્વારા સલામતી સપ્તાહની ઉજવણી કરાશે માળિયા (મી)માં ધો. ૯ ના વિદ્યાર્થીઓના પ્રવેશ પ્રશ્ન બાબતે પાલિકા પ્રમુખની રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ફ્લાયઓવર બ્રિજની કામગીરીની મુલાકાત લેતા કલેક્ટર સ્વપ્નિલ ખરે જો 48 કલાકમાં મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનનો નિર્ણય ન આવે તો આંદરણા ગ્રામ પંચાયતની બોડી મૂકશે સામૂહિક રાજીનામુ ચોમાસુ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર: હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી સિંચાઈનું પાણી આપવા માટે 7 ગામના ખેડૂતોની માંગ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ખવાસ રજપૂત સમાજની વાડીએ આયુષ્યમાન કાર્ડ માટે કેમ્પ યોજાશે


SHARE









વાંકાનેરમાં ખવાસ રજપૂત સમાજની વાડીએ આયુષ્યમાન કાર્ડ માટે કેમ્પ યોજાશે

મોરબીના દેશળ દેવ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી મોરબી જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા વાંકાનેરમાં સમસ્ત ખવાસ રજપૂત સમાજ માટે આયુષમાન કાર્ડના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે

મોરબી જીલ્લામાં જુદાજુદા વિસ્તારમાં આયુષમાન કાર્ડના કેમ્પનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે વાંકાનેરમાં સમસ્ત ખવાસ રજપૂત સમાજ માટે આયુષમાન કાર્ડના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને જ્ઞાતિબંધુઓ તેમજ અન્ય સમાજના જરુરિયાતમંદ પરિવાર માટે તા. ૩/૫ ને બુધવારે સવારે ૧૦ થી ૨ વાગ્યા સુધી વાંકાનેરમાં આવેલ ખવાસ રજપૂત સમાજની વાડી, રામજી મંદિર, રામ ચોક ખાતે નિ:શુલ્ક આયુષ્યમાન ભારત કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહેશે અને આયુષ્યમાન કાર્ડ માટે જરૂરી ડોક્યુમેન્ટમાં ૨૦૨૨ પછીનો મામલતદાર કચેરીનો આવકનો દાખલો, રેશનકાર્ડ તેમજ આધારકાર્ડ સાથે રાખવા આયોજકોએ જણાવ્યુ છે.






Latest News