મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન
Breaking news
Morbi Today

વાંકાનેરના વરડુસર ગામે વાડીમાં દંપતીએ ઝેરી દવા પીને કર્યો આપઘાત ; કારણ અકબંધ


SHARE











વાંકાનેરના વરડુસર ગામે વાડીમાં દંપતીએ ઝેરી દવા પીને કર્યો આપઘાત ; કારણ અકબંધ

વાંકાનેર તાલુકાના વરડુસર ગામની સીમમાં વાડીએ રહીને ખેતીમાં મજૂરી કામ કરતા દંપતીએ પોતાની જાતે ઝેરી દવા પીને આપઘાત કરી લીધેલ છે જેથી કરીને ચાર સંતાનોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે અને આ બનાવવાની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

 

બનાવી જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના વરડુસર ગામની સીમમાં વાડીએ રહીને મજૂરી કામ કરતા સોનલબેન રામજીભાઈ ચૌહાણ (૩૮) અને રામજીભાઈ ગાંડુભાઈ ચૌહાણ (૪૨) એ વાડીએ હતા ત્યારે કોઈ પણ કારણોસર પોતાની જાતે ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તે બંનેને તાત્કાલિક સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા જો કે રાજકોટ ખાતે તે બંનેના સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યા હોય આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના એમ.આર. ચૌહાણ ચલાવી રહ્યા હોય તેઓની સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે મૃતક દંપતિ મૂળ ગઢડાનું રહેવાસી છે અને તેને ચાર સંતાન છે અને તે પૈકીના બે દીકરા સિરામિક કારખાનામાં નોકરી કરતા હતા અને એક દીકરી તેમજ દીકરો તેની સાથે રહેતા હતા જોકે કયા કારણસર દંપતિએ ઝેરી દવા પીને આપઘાત કરેલ છે તેનું ચોક્કસ કોઈ કારણ હજુ સામે આવેલ નથી.






Latest News