મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં રહેતા સુજલ ભટ્ટને શ્રીમદ ભગવત ગીતાના ૭૦૦ શ્લોક કંઠસ્થ


SHARE







મોરબીમાં રહેતા સુજલ ભટ્ટને શ્રીમદ ભગવત ગીતાના ૭૦૦ શ્લોક કંઠસ્થ

મોરબીના બેલા ગામ પાસે આવેલ મહામંડલેશ્વર કનકેશ્વરી દેવીજીના ખોખરા હનુમાન આશ્રમમાં સંસ્કૃત પાઠશાળા આવેલ છે તેમાં અભ્યાસ કરતાં સુજલ પરેશભાઈ ભટ્ટ નામના વિદ્યાર્થીને શ્રીમદ ભગવત ગીતાના ૭૦૦ શ્લોક કંઠસ્થ એટલુ જ નહિ તે શ્લોકને સ્પષ્ટ સંસ્કૃતમાં ઉચ્ચારો સાથે આરોહ અવરોહમાં લય સાથે બોલે છે એટ્લે કે ૭૦૦ શ્લોક ચડતા કે ઉતરતા ક્રમમાં બોલી શકે છે

૨૦૨૩માં ધો. ૧૨ની સંસ્કૃત માધ્યમમાં પરીક્ષા આપનાર સુજલ પરેશભાઈ ભટ્ટ જે સુરત ખાતે યોજાયેલ રાજ્યસ્તરીય શાસ્ત્રીય સ્પર્ધામાં શાસ્ત્રો કંઠસ્થ વિભાગમાં ભાગ લીધેલ હતો જેમાં તેનો સમગ્ર ગુજરાતમાં બીજો નંબર આવેલ હતો. આ સ્પર્ધામાં અન્ય વિભાગો પણ હતા. હાલમાં સુજલ મહામંડલેશ્વર કનકેશ્વરી દેવીજીના ખોખરા હનુમાન આશ્રમમાં આવેલ સંસ્કૃત પાઠશાળામાં અભ્યાસ કરે છે તેની આ પ્રતિભાને પ્રેરણા આપવામાં સંસ્કૃત પાઠશાળાના ગુરુજીની મહત્વની ભૂમિકા છે. અત્રે ઉલેખનીય છે કે, સુજલને સંસ્કૃતિ અને શાસ્ત્રો પર ગૌરવ છે આજના તેના જેવડા યુવાનો ફેશન અને મોબાઈલમાં રચ્યા પચ્યા રહે છે. ત્યારે સુજલ શાસ્ત્રો, સંસ્કૃતિની વાતો કરે છે અને સૌથી વધારે આશ્ચર્યએ વાતનું થાય કે સુજલ ભારતીય પ્રાચીન પરંપરાને જીવંત રાખતા પોષક ધોતી અને ઝભ્ભો પહેરે છે અને તેનું તેને ગૌરવ છે. અને કનકેશ્વરી દેવીજીના માર્ગદર્શન હેઠળ તેમની સંસ્કૃત પાઠશાળા ભારતીય સંસ્કૃતિને ખુબ ફેલાવશે અને સંસ્કૃત પાઠશાળાના માધ્યમથી જે વિધાર્થી પ્રતિભા ખીલશે તે નુતન ભારતની રચના કરશે જેમાં દેવભાષા સંસ્કૃત અને આપણા જે શસ્ત્રો અગ્રેજો,અમેરિકાનો, જર્મનો અભ્યાસ કરીને અવનવી શોધો કરે છે તે ભારતમાં થશે અને વિશ્વની એક માત્ર જીવિત પ્રાચીન સંસ્કૃતિ પુનઃ જાગૃત થઇ સમગ્ર વિશ્વ પર વસુધૈવ કુટુંબકમની ભાવના સાથે નુતન વિશ્વની રચના કરશે. તેમ સંજયભાઈ વિરડીયાની યાદીમાં જણાવાયું છે.






Latest News