મોરબીના જેતપર ગામે ખેડૂતોના હક્ક માટે આમરણાંત આંદોલનનો આજે બીજો દિવસ: તંત્રની ઘોર બેદરકારી ! મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વીરાંગના રાણી લક્ષ્મીબાઈની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો મોરબી : બુઢા અમરનાથ સાહસિક યાત્રાનું આયોજન, જોડાવા અપીલ મોરબી શહેરના જુદાજુદા વિસ્તારમાં વરલી જુગારની 4 રેડ ટંકારાના લજાઈ ગામ પાસે વાડીની ઓરડીમાં ઇલેક્ટ્રીક શોટ લગતા ત્રણ વર્ષના બાળકનું મોત વાંકાનેરના વીડી જાંબુડીયા નજીકથી 1.950 કિલો ગાંજા સાથે એક શખ્સની ધરપકડ: 1.22 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ગાળા ગામના પાટીયા પાસે કાર-ટ્રક વચ્ચે અકસ્માત થતાં દંપતી અને તેના બે સંતાનોને ઇજા મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ
Breaking news
Morbi Today

મોરબીના લીલાપર રોડે ફિલ્ટર હાઉસના હોજમાં ન્હાવા પડેલ યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત


SHARE











મોરબીના લીલાપર રોડે ફિલ્ટર હાઉસના હોજમાં ન્હાવા પડેલ યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ ફિલ્ટર હાઉસના પાણીના હોજમાં ન્હાવા માટે પડેલ યુવાન પાણીમાં ડૂબી ગયો હતો જેથી કરીને પાણીમાં ડૂબી જતાં તેનું મોત નિપજ્યું હતું જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતકના ભાઈએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના લીલાપર રોડ ઉપર પાંજરાપોળની સામેના ભાગમાં રહેતા દિલીપભાઈ ગણપતદાસ અગ્રાવત જાતે રામાનંદી સાધુ (૪૮) મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ નગરપાલિકાના ફિલ્ટર હાઉસ ખાતે ફિલ્ટર હાઉસના પાણીના હોજમાં ન્હાવા માટે પડ્યા હતા અને ત્યારે પાણીમાં ડૂબી જવાના કારણે સ્થળ ઉપર જ દિલીપભાઈ ગણપતદાસ અગ્રાવતનું મોત નિપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને તેના ભાઈ ધર્મેન્દ્રભાઈ ગણપતદાસ અગ્રાવત (૫૧) રહે. પાંજરાપોળ ગૌશાળા સામે મોરબી વાળા મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની તેઓ દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના એ.એમ. જાપડીયા ચલાવી રહ્યા છે






Latest News