મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી : આગામી સમયમાં યોજાનાર માતૃશકિતના પ્રશિક્ષણ વર્ગ તથા દુર્ગાવાહિનીના પ્રશિક્ષણ વર્ગ જોડાવા આહવાન


SHARE











મોરબી : આગામી સમયમાં યોજાનાર માતૃશકિતના પ્રશિક્ષણ વર્ગ તથા દુર્ગાવાહિનીના પ્રશિક્ષણ વર્ગ જોડાવા આહવાન

વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ આયામ દ્વારા મોરબી શહેર કાર્યકર્તા બહેનોની બેઠક તા.૧૯-૪ ના રોજ સવારે ૧૦ વાગ્યે રાખવામાં આવી હતી.આગામી તા.૧૨-૫ સાંજે ૫ કલાકથી તા.૧૫-૫ બપોર સુધી માતૃશકિતના પ્રશિક્ષણ વર્ગ તથા તા.૧૦-૫ રાત્રીથી તા.૧૭-૫ સુધી દુર્ગાવાહિનીના પ્રશિક્ષણ વર્ગ યોજાવા જઈ રહ્યો છે તો તેમાં મોરબી જિલ્લામાંથી મોટી સંખ્યામાં માતૃશક્તિની બહેનો અને દુર્ગાવહિનીની દીકરીઓ જોડાય અને વર્ગમાં દૈનિક દિનચર્યા શું રહેશે તેના વિશેનું માર્ગદર્શન વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતના માતૃશકિત સંયોજીકા પૂર્વીબેન શુકલ દ્વારા આપવામાં આવ્યું હતું.તેમજ વિશ્વ હિન્દુ પરિષદના કામોનો ટુંકો અહેવાલ જયશ્રીબેન વાઘેલા દ્વારા આપવામાં આવ્યો હતો.

આ તકે જામનગર જિલ્લા સંયોજીકા-પ્રાંત કર્યકરણી હીનાબેન અગ્રાવત તેમજ જામનગર જિલ્લા સહ સંયોજીકા ભાવનાબેન મણિયાર ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ૨૫ જેટલા મોરબી શહેર માતૃશક્તિ મહિલા વિભાગના કાર્યકર્તા બહેનો બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.આ બેઠકનું આયોજન જયશ્રીબેન વાઘેલા દ્વારા કરવામાં આવ્યું હતું.આગામી મે મહિનામાં યોજાનાર માતૃશક્તિ અને દુર્ગાવહિનીના વર્ગોમા મોરબી જિલ્લામાંથી જે બહેનો કે દીકરીઓને જવા માટે કે ત્યાં જવા માટેના રજિસ્ટ્રરેશન કરવા અને સંપૂર્ણ માહિતી માટે જયશ્રીબેન વાઘેલા મોબાઇલ નંબર ૭૦૧૬૭ ૦૭૦૨૦ ઉપર નામ નોંધાવવા માટે સંપર્ક કરવાનો રબેશે.રજીસ્ટ્રેશન કરવાની છેલ્લી તા.૫- છે તેમ યાદીમાં જણાવવામાં આવેલ છે.






Latest News