મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક આવેલ હેમ પેઇન્ટ કારખાનામાં રેકડો લઇ લેવાનો કહેતા યુવાનને માર માર્યો


SHARE







વાંકાનેર નજીક આવેલ હેમ પેઇન્ટ કારખાનામાં રેકડો લઇ લેવાનો કહેતા યુવાનને માર માર્યો

વાંકાનેર નજીક આવેલ હેમ પેઇન્ટર કારખાનામાં મારામારીનો બનાવ બન્યો હતો જેમાં ત્યાં કામ કરતા યુવાને ટ્રોલી લઈને જવું હોવાથી માલ ઉતારવાનો રેકડો લઇ લેવા માટે કહ્યું હતું ત્યારે ત્યાં રેકડો લઈને આવેલા શખ્સ દ્વારા તેના ઉપર પ્લાસ્ટિકના ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હતો અને માર મારીને મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવવાની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર શહેરની નજીક આવેલ હેમ પેઇન્ટ નામના કારખાનામાં કામ કરતા અને મિલ પ્લોટ શાંતિનગર વિસ્તારમાં રહેતા જયદીપસિંહ ભગીરથસિંહ ગોહિલ જાતે દરબાર (૩૧)એ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે વિક્રમભાઈ બબાભાઈ સરૈયા રહે, હસનપર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે આરોપીએ કારખાનામાં માલ ઉતારવાનો રેકડો વચ્ચે નાખેલ હતો જેથી કેમિકલ્સ ભરેલ ટ્રોલી લઈને ફરીયાદીને જવી હોય તેને રેકડો લઇ લેવા માટે થઈને કહ્યું હતું ત્યારે આરોપીએ રેકડો નહીં લઈ તેમ કહીને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને ત્યારબાદ પ્લાસ્ટિકના ધોકા વડે માર માર્યો હતો અને મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા જયદીપસિંહ ગોહિલ દ્વારા હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે વિક્રમભાઈ સરૈયા ની સામે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News