જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન મોરબીમાં પતિ-પત્નીના ઝગડામાં વચ્ચે પડેલ દિકરીના માથામાં પિતાએ લાકડાની પટ્ટી મારતા ચાર ટાંક આવ્યા હળવદમાં ભલગામડા નજીક વાડીએથી તમંચા ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબીના રવાપર અને વાંકાનેરના વીડી જાંબુડીયા ગામે જુગારની જુદીજુદી બે રેડ: કુલ 12 શખ્સ પકડાયા હળવદના ઘનશ્યામપુર ગામે તળાવમાં ન્હાવા પડેલા ત્રણ પૈકી એક યુવાનનું ડૂબી જવાથી મોત તેરા તુજકો અર્પણ: મોરબીમાથી પોલીસે ૭.૦૮ લાખના ૩૨ મોબાઈલો અને ૧.૭૫ લાખનો સોનાનો ચેન શોધીને અરજદારને પરત આપ્યો મોરબીમાં વ્યાજવટાવના અનેક ગુનામાં સંડોવાયેલ ઇસમ પાસા હેઠળ જેલ હવાલે
Breaking news
Morbi Today

મોરબી ખાતે સિરામિક ઉદ્યોગને ધ્યાને રાખીને સીલીકોસીસ નીયંત્રણ કાર્યક્રમ કેમ નહી?


SHARE











મોરબી ખાતે સિરામિક ઉદ્યોગને ધ્યાને રાખીને સીલીકોસીસ નીયંત્રણ કાર્યક્રમ કેમ નહી?

પીપલ્સ ટ્રેનિંગ એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા મોરબી ખાતે વિશ્વ આરોગ્યની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે મોરબીમાં સીરામીક ઉદ્યોગ મોટાપાયે રોજગારી આપે છે જેનો લાભ માત્ર સ્થાનીક જ  નહી પણ સ્થળાંતરીત કામદારોને પણ મળે છે. જો કે, સીરામીક ઉદ્યોગ એક જોખમી ઉદ્યોગ છે જેમાં કેટલીક પ્રક્રીયાના કામદારોને માથે સીલીકોસીસ જેવા ફેફ્સાંના જીવલેણ રોગનું જોખમ રહેલું છે આ સીલીકોસીસ પીડીતોના કલ્યાણ માટે કામ કરતી સ્વૈચ્છીક સંસ્થા પીટીઆરસી દ્વારા સીલીકોસીસ જાગ્રુતી માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સીલીકોસીસનો ભોગ બનેલા કામદરોએ હાજરી આપી હતી. ત્યારે ચીરાગભાઇ ચાવડાએ ગુજરાત રાજ્યમાં સીલીકોસીસ પીડીતોને અપાતી સહાય અંગે માહીતી આપી હતી. તેમણે રાજસ્થાન રાજ્ય દ્વારા સીલીકોસીસ પીડીતોને માટે ઘડવામાં આવેલી નીતીની પણ ચર્ચા કરી હતી. ત્યારે ઉપસ્થીત કામદારોએ સીલીકોસીસ પીડીત કામદારોના પુનઃ સ્થાપન માટે ગુજરાત સરકારે પણ આવી નીતી ઘડીને અમલમાં મુકવી જોઇએ તેવી લાગણી વ્યક્ત કરી હતી.






Latest News