મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ગાયત્રી મંદિર પાસે ઘેટા બકરાનું મરણ કરતો દીપડો


SHARE







વાંકાનેરમાં ગાયત્રી મંદિર પાસે ઘેટા બકરાનું મરણ કરતો દીપડો

વાંકાનેર તાલુકાના જુદાજુદા વિસ્તારોની અંદર સમયાંતરે દીપડો દેખાદેતો હોય છે જેથી કરીને લોકોમાં ફફડાટ રહેતો હોય છે દરમિયાન આજે મળતી માહિતી મુજબ વાંકાનેર શહેરમાં આવેલ ગાયત્રી મંદિર પાસે રાત્રિ દરમિયાન દીપડાએ અબોલ જીવનું મારણ કર્યું છે અને માલધારીના ઘેટા બકરાના મોત નિપજાવ્યા છે દરમિયાન મળતી માહિતી મુજબ છ જેટલા ઘેટા અને બે બકરા આમ કુલ મળીને આઠ અબોલ જીવનું મરણ દીપડા દ્વારા કરવામાં આવ્યું છે જે બનાવની ફોરેસ્ટ વિભાગના અધિકારીઓને જાણ કરવામાં આવતા અધિકારીની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી વધુમાં મળતી વિગત પ્રમાણે આઠ અબોલ જીવનું મરણ કરવા ઉપરાંત બે થી ત્રણ જેટલા ઘેટા બકરાને ઘાયલ પણ કર્યા હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે






Latest News