મોરબી નજીકથી જાનવરે ફાડી ખાધેલ હાલતમાં યુવાનનો કોહવાઈ ગયેલ મૃતદેહ મળ્યો
મોરબીના વિરપરડા ગામે આંખની સારવારના કેમ્પનું આયોજન
SHARE
મોરબીના વિરપરડા ગામે આંખની સારવારના કેમ્પનું આયોજન
મોરબી નજીકના વિરપરડા ગામે સરપંચ અજયસિંહ જાડેજા, ઉપસરપંચ અમિતભાઈ ગામી, વી.સી.ઇ. આશિક સુમરા તેમજ ગામ અગ્રણી સહદેવસિંહ જાડેજા અને મહાવીરસિંહ જાડેજાના નેતૃત્વમાં આંખના કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જે કેમ્પનો ૧૦૦ થી વધુ ગ્રામજનોએ લાભ લીધો હતો અને આ કેમ્પ રાજકિસાન વિકાસ સેવા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યો હતો જેમાં ડો.અજયસિંહ પી. રાઓલ (M.A.,D.O.T.) અમદાવાદ વાળાએ દર્દીઓને તપાસીને રાહત દરે ચશ્મા તથા દવાઓ આપવામાં આવી હતી આ સંસ્થા છેલ્લા ૧૨ વર્ષથી કાર્યરત છે અને અત્યાર સુધીમાં આઠ લાખથી વધુ દર્દીને તપાસવામાં આવ્યા છે.