મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં કાલે હનુમાન જયંતીએ નવયુગ ગ્રૂપ બાનવશે નવો રેકોર્ડ: જેલ રોડે સુંદરકાંડ અને થોરાળા ગામે ફ્રી નિદાન કેમ્પ


SHARE











મોરબીમાં કાલે હનુમાન જયંતીએ નવયુગ ગ્રૂપ બાનવશે નવો રેકોર્ડ: જેલ રોડે સુંદરકાંડ અને થોરાળા ગામે ફ્રી નિદાન કેમ્પ

મોરબીમાં નવયુગ ગૃપ ઓફ એજ્યુકેશન દ્વારા કાલે તા ૬ ના રોજ હનુમાન જયંતી નિમિતે ઇન્ડિયન ટ્રેડિશનલ બુક ઓફ ધ રેકોર્ડ બનાવવામાં આવશે ત્યારે હનુમાન દાદાની પ્રતિકૃતિની પેપર કોપી ઉપર રામ નામ લખવામાં આવશે અને તે રામ જાપ લખેલ કોપીઓને આયોધ્યા મંદિરે પહોંચાડાવામાં આવશે. ત્યારે આ ધાર્મિક કાર્યમાં જોડાવા માટે સંસાથના પ્રમુખ પી.ડી.કાંજીયા અને નવયુગ ગૃપ ઓફ એજ્યુકેશન દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે.

સુંદરકાંડ યોજાશે
મોરબીમાં જેલ રોડે રામાનંદ ભવન ખાતે કાલે તા ૬ ના રોજ હનુમાન જયંતીના દિવસે સુંદરકાંડ અને હનુમાન ચાલીસા પાઠનું આયોજન કરવામાં આવ્યું છે અને બપોરે ૩:૩૦ થી આ પાઠ શરૂ કરવામાં આવશે ત્યારે નંદલાલ મહારાજ, પરેશભાઈ રામાવત, રોહિતભાઈ કુબાવત, શાંતિલાલ નિમાવત, નરસંગદાસ નિમાવત સહિતના હાજર રહેશે. આ કાર્યક્રમમાં સમાજના લોકોને હાજર રહેવા માટે રામાનંદી સાધુ સમાજ મહિલા મંડળના પ્રમુખ અરુણાબેન રામાવત અને ઉપપ્રમુખ જાગૃતિબેન નિમાવતે આમંત્રણ આપ્યું છે.

થોરાળામાં ફ્રી નિદાન કેમ્પ
થોરાળા ગામે કાલે હનુમાન જયંતી નિમિત્તે સ્વ.મણીબેન નાનજીભાઈ અંબાણીના સ્મરણાર્થે કાન-નાક ગળાના દર્દીઓ માટે ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ કેમ્પમાં કાન નાક ગળાના નિષ્ણાત ડૉ.સુરભિ અંબાણી (Gold Medalist) દ્વારા રોગનું નિદાન કરીને સારવાર  કરવામાં આવશે તેમજ ઓપરેશન અંગે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે. આ કેમ્પ કાલે ૯ થી ૧૧ વાગ્યા સુધી રાખવામા આવેલ છે અને તે થોરાળા હાઇસ્કૂલ ખાતે યોજાશે ત્યારે સમસ્ત થોરાળા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોને તેનો લાભ લેવા માટે અનુરોધ કરાયો છે.






Latest News