હળવદના ટીકર ગામે યુવાન ઉપર છરી વડે જીવલેણ હુમલો, ગંભીર ઈજા પામેલ યુવાન અમદાવાદ સારવાર માટે ખસેડાયો માળીયા (મી)ની ઓનેસ્ટ ચેકપોસ્ટ પાસેથી ચોરખાનામાં 96 બોટલ દારૂ ભરેલ સેન્ટ્રો કાર સાથે એક ઝડપાયો, 2.16 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના ભલગામ નજીક હોટલ પાસેથી શંકાસ્પદ હાલતમાં 29,000 લીટર જ્વલંતશીલ પ્રવાહીનો જથ્થો ઝડપાયો, 48.33 લાખના મુદ્દામાલ સાથે પાંચ શખ્સ પકડાયા સરકાર દરમ્યાનગીરી કરીને મોરબીમાં એક જ ભાવે નેચરલ ગેસ આપે તો જ બંધ પડેલા સિરામિકના કારખાના ધમધમશે: પ્રમુખ મનોજભાઇ એરવાડીયા મોરબીના ન્યુ પેલેસમાં આગ લગતા ત્રણ રૂમમાં મૂકવામાં આવેલ એન્ટિક ફર્નિચર સહિતની વસ્તુઓ બળીને ખાખ મોરબીના રફાળેશ્વર નજીકથી ટ્રક પલટી મારી જતાં ઇજા પામેલા ડ્રાઈવરનું મોત: મોરબીમાં ઘર પાસેથી બાઈકની ચોરી માળીયા (મી)ના કાજરડા ગામે ઈંડા-મુરઘીની દુકાન ધરાવતા યુવાન ઉપર 4 શખ્સોએ કર્યો છરી-ધોકા વડે હુમલો મોરબી શહેર-તાલુકામાં બે રેડમાં દારૂની 58 બોટલ ઝડપાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં કાલે હનુમાન જયંતીએ નવયુગ ગ્રૂપ બાનવશે નવો રેકોર્ડ: જેલ રોડે સુંદરકાંડ અને થોરાળા ગામે ફ્રી નિદાન કેમ્પ


SHARE











મોરબીમાં કાલે હનુમાન જયંતીએ નવયુગ ગ્રૂપ બાનવશે નવો રેકોર્ડ: જેલ રોડે સુંદરકાંડ અને થોરાળા ગામે ફ્રી નિદાન કેમ્પ

મોરબીમાં નવયુગ ગૃપ ઓફ એજ્યુકેશન દ્વારા કાલે તા ૬ ના રોજ હનુમાન જયંતી નિમિતે ઇન્ડિયન ટ્રેડિશનલ બુક ઓફ ધ રેકોર્ડ બનાવવામાં આવશે ત્યારે હનુમાન દાદાની પ્રતિકૃતિની પેપર કોપી ઉપર રામ નામ લખવામાં આવશે અને તે રામ જાપ લખેલ કોપીઓને આયોધ્યા મંદિરે પહોંચાડાવામાં આવશે. ત્યારે આ ધાર્મિક કાર્યમાં જોડાવા માટે સંસાથના પ્રમુખ પી.ડી.કાંજીયા અને નવયુગ ગૃપ ઓફ એજ્યુકેશન દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે.

સુંદરકાંડ યોજાશે
મોરબીમાં જેલ રોડે રામાનંદ ભવન ખાતે કાલે તા ૬ ના રોજ હનુમાન જયંતીના દિવસે સુંદરકાંડ અને હનુમાન ચાલીસા પાઠનું આયોજન કરવામાં આવ્યું છે અને બપોરે ૩:૩૦ થી આ પાઠ શરૂ કરવામાં આવશે ત્યારે નંદલાલ મહારાજ, પરેશભાઈ રામાવત, રોહિતભાઈ કુબાવત, શાંતિલાલ નિમાવત, નરસંગદાસ નિમાવત સહિતના હાજર રહેશે. આ કાર્યક્રમમાં સમાજના લોકોને હાજર રહેવા માટે રામાનંદી સાધુ સમાજ મહિલા મંડળના પ્રમુખ અરુણાબેન રામાવત અને ઉપપ્રમુખ જાગૃતિબેન નિમાવતે આમંત્રણ આપ્યું છે.

થોરાળામાં ફ્રી નિદાન કેમ્પ
થોરાળા ગામે કાલે હનુમાન જયંતી નિમિત્તે સ્વ.મણીબેન નાનજીભાઈ અંબાણીના સ્મરણાર્થે કાન-નાક ગળાના દર્દીઓ માટે ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ કેમ્પમાં કાન નાક ગળાના નિષ્ણાત ડૉ.સુરભિ અંબાણી (Gold Medalist) દ્વારા રોગનું નિદાન કરીને સારવાર  કરવામાં આવશે તેમજ ઓપરેશન અંગે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે. આ કેમ્પ કાલે ૯ થી ૧૧ વાગ્યા સુધી રાખવામા આવેલ છે અને તે થોરાળા હાઇસ્કૂલ ખાતે યોજાશે ત્યારે સમસ્ત થોરાળા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોને તેનો લાભ લેવા માટે અનુરોધ કરાયો છે.






Latest News