હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

કચ્છના લાકડીયા ગામે પુજારા, વસાણી અને ભોજાણી પરિવારના સુરાપુરા દાદાના મંદિરે યજ્ઞનું આયોજન


SHARE











કચ્છના લાકડીયા ગામે પુજારા, વસાણી અને ભોજાણી પરિવારના સુરાપુરા દાદાના મંદિરે યજ્ઞનું આયોજન

કચ્છના લાકડીયા ગામે પુજારા, વસાણી અને ભોજાણી પરિવારના સુરાપુરા દાદાના મંદિરે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સૌરાષ્ટ્રભરમાંથી પુજારા, વસાણી અને ભોજાણી પરિવારના તમામ લોકો સહપરિવાર સાથે હાજર રહેશે

કચ્છના લાકડીયા ગામે વશરામ બાપાની દિવ્ય પ્રેરણાથી લાકડીયા ગામે  મહાદેવજી તથા બીરાજમાન પુજારા પરિવારના સુરાપુરા દાદા પુંજાબાપા, વસાણી પરિવારના સુરાપુરા દાદા વસાબાપા તથા ભોજાણી પરિવારના સુરાપુરા દાદા ભોજાબાપાના સાનીધ્યમાં યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જે યજ્ઞ બપોરે ૩:૩૦ કલાકે પૂર્ણ થશે ત્યાર બાદ ડાક ડમરું અને પ્રશ્નોના નીરાકરણનો કાર્યક્રમ રાખવામા આવ્યો છે ત્યાર બાદ સામખીયારી ખાતે આવેલ લોહાણા મહાજન વાડી મહાપ્રસાદ યોજાશે. વધુમાં આયોજકોએ જણાવ્યુ છે કે, સુરાપુરા દાદાની સ્થાપના ૧૭૪૯ વૈશાખ વદ-૭ ના રોજ કરવામાં આવી છે જેથી કરીને આગમી તા ૧૨ ના રોજ સુરાપુરા દાદાનો હવન રાખવામા આવેલ છે જેમાં યજમાન પદે મોરબીના સ્વ. કોકીલાબેન ઘનશ્યામભાઇ પુજારા, ચીમનલાલ લવજીભાઇ પુજારા અને વાંકાનેરના પ્રવિણભાઇ માવજીભાઇ પુજારા બેસવાના છે






Latest News