મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

ગજબ ભેજું હો : વાંકાનેર બાઉન્ડ્રી પાસે આવેલ પેટ્રોલ પંપમાંથી હીરાસર એરપોર્ટમાં કામ ચાલુ હોવાનું કહીને ૧૨.૯૧ લાખનું ડીઝલ બંધ કંપનીના નામે લઇ ગયા !


SHARE







ગજબ ભેજું હો : વાંકાનેર બાઉન્ડ્રી પાસે આવેલ પેટ્રોલ પંપમાંથી હીરાસર એરપોર્ટમાં કામ ચાલુ હોવાનું કહીને ૧૨.૯૧ લાખનું ડીઝલ બંધ કંપનીના નામે લઇ ગયા !

વાંકાનેર બાઉન્ડ્રી પાસે આવેલ ભારત પેટ્રોલિયમ કંપનીના પેટ્રોલ પંપમાં મેનેજરને વિશ્વાસમાં લઈને બે શખ્સો દ્વારા હીરાસર એરપોર્ટમાં માટી ફીલિંગનું કામ તેઓ કરે છે અને તેમને ડીઝલની જરૂર હોવાનું કહીને ખોટા આધાર પુરાવા રજૂ કરી પેટ્રોલ પંપેથી ૧૪,૦૧૦ લીટર ડીઝલ લઈ ગયેલ છે જેની કિંમત ૧૨,૯૧,૩૦૧ થાય છે અને તે રકમ આ શખ્સો દ્વારા આપવામાં આવી નથી અને જે કંપનીના નામે તે લોકો પેટ્રોલ પંપેથી ડીઝલ લઈ ગયા છે તે કંપની વર્ષો પહેલા બંધ થઈ ગઈ હોવાનું પેટ્રોલ પંપના માલિકને જાણવા મળતા તેને હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે રાજકોટના માલવિયા નગર-૨૨ માં રહેતા માનવેન્દ્રસિંહ વિક્રમસિંહ જાડેજા જાતે દરબાર (૪૬) એ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મનીષ શર્મા અને રાજ ઠાકુર નામના શખ્સોની સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે તેનો વાંકાનેર બાઉન્ડ્રી પાસે ભારત પેટ્રોલિયમ કંપનીનો પેટ્રોલ પંપ આવેલ છે અને ત્યાં ધર્મરાજ શાંતિલાલ ભટ્ટ રહે. ચોટીલા વાળા મેનેજર તરીકે છેલ્લા ઘણા વર્ષોથી કામ કરી રહ્યા છે તેની પાસે મનીષ શર્મા અને રાજ ઠાકુર આવ્યા હતા અને તેઓને દસ દિવસ ઉધારમાં ડીઝલ જોઈએ છે તેવું કહ્યું હતું અને રાઈ બિલ્ડર્સ નામની તેઓની કંપની છે તેવું કહીને તેના ખોટા આધાર પુરાવાઓ રજૂ કર્યા હતા અને પેટ્રોલ પંપના મેનેજરને વિશ્વાસમાં લઈને આ બંને શખ્સો દ્વારા તેને એકાઉન્ટ કોરા ચેક, પેઢીનું પાનકાર્ડ, જીએસટી નંબર, માલિકના આધાર કાર્ડની ઝેરોક્ષ, પેઢીનું લેટરપેડ વિગેરે દસ્તાવેજ આપ્યા હતા જોકે પેટ્રોલ પંપેથી ૧૨,૦૧૦ લીટર ડીઝલ લઈ ગયા બાદ આ બંને શખ્સો દ્વારા પેટ્રોલ પંપના મેનેજરને એકાઉન્ટની ડીટેલ આપો તમારા ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરી આપુ તેવું કહ્યુ હતુ.

ત્યાર બાદ છેલ્લે વધુ ૨૦૦૦ લીટર ડીઝલ પેટ્રોલ પંપેથી લઈ જવામાં આવ્યું હતું અને તેઓના એકાઉન્ટમાં રૂપિયા જમા થયા ન હતા જેથી કરીને મનીષ શર્મા અને રાજ ઠાકુર ને શોધવા માટે તેઓ હીરાસર એરપોર્ટનું કામ ચાલુ છે ત્યાં ગયા હતા અને ત્યાં પૂછપરછ કરતા આવી કોઈ બિલ્ડરને કોઈપણ જાતનો પેટા કોન્ટ્રાક આપવામાં આવ્યો નથી તેવું જાણવા મળ્યું હતું જેથી કરીને તેઓએ પેટ્રોલ સીસીટીવી ફૂટેજ ના આધારે મહિન્દ્રા કંપનીની જે ગાડીમાં આવીને તે લોકો ડીઝલ લઈ જતા હતા તે મનોજભાઈ નો સંપર્ક કર્યો હતો અને તેમને પૂછપરછ કરતા તેમને જણાવ્યું હતું કે તેની ગાડીમાં ડીઝલ પેટ્રોલ પંપેથી લઈ ગયા બાદ એરપોર્ટ ઓથોરિટીમાં લોકલ માણસોને જવા દેતા નથી તેવું કહીને રાજ ઠાકુર તેને ત્યાં બહાર ઉભા રાખીને યુટીલીટી લઈને અંદર જતો હતો અને ત્યારબાદ પરત આવીને તેને પાછું તેનું વાહન આપી દેતો હતો તેવું જણાવ્યું હતું જેથી કરીને પેટ્રોલ પંપ ના માલિક સાથે ૧૨,૯૧,૩૦૧ રૂપિયાની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ હાલમાં પેટ્રોલ પંપ નામ માલિકે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News