મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત મોરબી જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ૨૬મી એપ્રિલે મતદાન: ૮૬૧ મતદાન મથકો નિર્ધારિત કરાયા મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે કલેક્ટરના અધ્યક્ષસ્થાને નોડલ અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ મોરબી જીલ્લામાં મહાપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયત અને પાલિકાઓની ચૂંટણી પારદર્શી વાતાવરણમાં સંપન્ન કરવા તંત્ર સજ્જ મોરબી જિલ્લામાં ચાર લોકોને ભેગા થવા, સભા-સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ: ૩૦ એપ્રિલ સુધી હથિયારબંધી
Breaking news
Morbi Today

મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ ચૂંટણીમાં અધૂરી-ખોટી આપતા હાઇકોર્ટમાં પીટીસન દાખલ


SHARE











મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ ચૂંટણીમાં અધૂરી-ખોટી આપતા હાઇકોર્ટમાં પીટીસન દાખલ

મોરબી માળિયા વિધાનસભા બેઠકની ચૂંટણીમાં વિજેતા ઉમેદવાર કાંતિભાઈ અમૃતિયા સામે હાલમાં ગત ચૂંટણીના એક મહિલા ઉમેદવાર દ્વારા હાઇકોર્ટમાં ઈલેકશન પીટીસન દાખલ કરવામાં આવેલ છે જેમાં કાંતિભાઈ અમૃતિયાએ તેના ઉમેદવારી પત્ર સાથે આપેલ એફિડેવિટમાં અધૂરી અને ખોટી માહિતી આપી હોવાથી તેની સામે વાંધો લીધેલ છે જેની આગમી મુદત તા ૨૮/૪ આપવામાં આવી છે

રાજ્યમાં છેલ્લે જે વિધાનસભાની ચૂંટણી યોજાઇ હતો તેમાં મોરબી માળીયા બેઠક ઉપર ઉમેદવારી કરનારા મહિલા અપક્ષ ઉમેદવાર માઘુ નિરૂપા નટવરલાલ દ્વારા હાઇકોર્ટમા મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની સામે ઇલેક્શન પીટીશન કરલે છે જેમાં તેને જણાવ્યુ છે કે, કાંતિભાઈ અમૃતિયાએ વર્ષ ૨૦૨૨ માં યોજાયેલ વિધાનસભાની ચૂંટણી માટે જે ઉમેદવારી પત્ર ભર્યું છે તેમાં રજૂ કરેલ એફિડેવિટમાં અધૂરી અને ખોટી માહિતી આપવામાં આવી છે વધુમાં તેમાં જણાવ્યુ છે કે, છેલ્લા ૧૦ વર્ષમાં સરકારી કવાર્ટર હતું કે નહીં અને તેનું સરકારી કોઈ માંગણું છે કે નહીં તેની વિગત રજૂ કરવાની હોય છે પરંતુ વર્ષ ૨૦૧૭ ના ચૂંટણીના એફિડેવીટમાં કાંતિભાઈ અમૃતિયાએ સરકારી ક્વાર્ટર હોવાનું જણાવેલ હતું અને વર્ષ ૨૦૨૨ માં જે એફિડેવીટમાં સરકારી ક્વાર્ટર લાગુ પડતું નથી તેવું એફિડેવિટમાં લખ્યું છે જે ખોટી માહિતી આપેલ છે અને તેના માટે લાગુ પડતાં વિભાગોની પાસેથી સર્ટિફિકેટ લઈને સોગંદનામાં સાથે તેને જોડાવું પડે તે જોડવામાં આવેલ નથી તેમજ એફિડેવિટમાંથી એક કૉલમ જ ઉડાવી દેવામાં આવી હતી જેની સામે વાંધો લેવામાં આવ્યો હતો ત્યાર બાદ નવું એફિડેવિટ આપવામાં આવ્યું હતું જો કે, ફોર્મની ચકાસણી થઈ ગયા પછી ચૂંટણી અધિકારી દ્વારા નવું એફિડેવિટ સ્વીકારી લેવામાં આવ્યું હતું જે ખોટી રીતે કરવામાં આવ્યું છે






Latest News