મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

ટંકારામાં ઘરમાં જ અંતિમ પગલું ભરીને આધેડે જીવન ટૂંકાવ્યું


SHARE







ટંકારામાં ઘરમાં જ અંતિમ પગલું ભરીને આધેડે જીવન ટૂંકાવ્યું

ટંકારાની મેઇન બજારમાં રહેતા આધેડ પોતાના ઘરે હતા ત્યારે કોઈ કારણોસર તેને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને તેનો દીકરો પીએમ માટે ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યો હતો અને આ બનાવની મૃતકના દીકરા દ્વારા ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આંગળી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ ટંકારાની મેઇન બજારમાં રહેતા જીતેન્દ્રકુમાર દેવકરણભાઈ પરમાર જાતે મોચી (૫૫) પોતાના ઘરે હતા ત્યારે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને તેનો દીકરો ચિરાગ જીતેન્દ્રકુમાર પરમાર (૨૩) ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યો હતો અને આ બનાવની ચિરાગ પરમાર દ્વારા ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ હતી આ બનાવની વધુ તપાસ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના એસ.બી. સીદીકી ચલાવી રહ્યા છે

મારામારીમાં ઇજા

મોરબીના સનાળા ગામ પાસે આવેલ ગોકુલનગરમાં રહેતા શાંતિલાલ નથુભાઈ કડીવાર જાતે દેવીપુજક (૬૦) નામના વૃદ્ધને મારામારીના બનાવમાં ઈજા થઈ હોવાથી તે ઇજાગ્રસ્તને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવવાની મોરબી સીટી એ ડિવઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના વિપુલભાઈ ફૂલતરિયા ચલાવી રહ્યા છે અને તેની પાસેથી વધુમાં મળતી માહિતી મુજબ સનાળા રોડે ઉમિયા સર્કલ પાસે પૈસા બાબતે બોલાચાલી થતા શાંતિલાલ નથુભાઈ કડીવારના દીકરા અને તેના દીકરાની વહુએ તેને માર માર્યો હોવાનું હાલમાં પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે






Latest News