મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન
Breaking news
Morbi Today

ટંકારામાં ઘરમાં જ અંતિમ પગલું ભરીને આધેડે જીવન ટૂંકાવ્યું


SHARE











ટંકારામાં ઘરમાં જ અંતિમ પગલું ભરીને આધેડે જીવન ટૂંકાવ્યું

ટંકારાની મેઇન બજારમાં રહેતા આધેડ પોતાના ઘરે હતા ત્યારે કોઈ કારણોસર તેને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને તેનો દીકરો પીએમ માટે ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યો હતો અને આ બનાવની મૃતકના દીકરા દ્વારા ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આંગળી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ ટંકારાની મેઇન બજારમાં રહેતા જીતેન્દ્રકુમાર દેવકરણભાઈ પરમાર જાતે મોચી (૫૫) પોતાના ઘરે હતા ત્યારે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને તેનો દીકરો ચિરાગ જીતેન્દ્રકુમાર પરમાર (૨૩) ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યો હતો અને આ બનાવની ચિરાગ પરમાર દ્વારા ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ હતી આ બનાવની વધુ તપાસ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના એસ.બી. સીદીકી ચલાવી રહ્યા છે

મારામારીમાં ઇજા

મોરબીના સનાળા ગામ પાસે આવેલ ગોકુલનગરમાં રહેતા શાંતિલાલ નથુભાઈ કડીવાર જાતે દેવીપુજક (૬૦) નામના વૃદ્ધને મારામારીના બનાવમાં ઈજા થઈ હોવાથી તે ઇજાગ્રસ્તને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવવાની મોરબી સીટી એ ડિવઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના વિપુલભાઈ ફૂલતરિયા ચલાવી રહ્યા છે અને તેની પાસેથી વધુમાં મળતી માહિતી મુજબ સનાળા રોડે ઉમિયા સર્કલ પાસે પૈસા બાબતે બોલાચાલી થતા શાંતિલાલ નથુભાઈ કડીવારના દીકરા અને તેના દીકરાની વહુએ તેને માર માર્યો હોવાનું હાલમાં પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે






Latest News